બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / કારમાં જઈ રહેલા વ્યક્તિને અકસ્માત કરીને લૂંટી લીધો, અમદાવાદના કૃષ્ણનગરમાં 50 લાખની લૂંટ
Last Updated: 03:22 PM, 27 June 2026
અમદાવાદ શહેરના કૃષ્ણનગર વિસ્તારમાં શનિવારે ફિલ્મી ઢબે 50 લાખ રૂપિયાની રોકડની લૂંટની ઘટના સામે આવી છે. મારુતિ પ્લાઝા નજીક કારમાં જઈ રહેલા વ્યક્તિને અકસ્માત નડાવ્યો બાદ બે બાઈકસવાર શખ્સોએ રોકડ ભરેલી રકમ લૂંટી ફરાર થઈ ગયા હોવાનું જાણવા મળ્યું છે.
ADVERTISEMENT
લૂંટારુઓએ અગાઉથી જ કારનો પીછો કર્યો
પ્રાથમિક માહિતી મુજબ, લૂંટારુઓએ અગાઉથી જ કારનો પીછો કર્યો હતો. યોગ્ય તક મળતા તેમણે કારને અકસ્માત કરાવી રોકાવી અને ત્યારબાદ કારમાં રહેલી અંદાજે 50 લાખ રૂપિયાની રોકડ લૂંટી લઈને પળવારમાં ફરાર થઈ ગયા.
ADVERTISEMENT

સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ
ADVERTISEMENT
સમગ્ર ઘટના નજીકમાં લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ હોવાનું સામે આવ્યું છે. ફૂટેજના આધારે પોલીસે બાઈકસવાર બંને શખ્સોની ઓળખ મેળવવાના પ્રયાસો શરૂ કર્યા છે.
કૃષ્ણનગર પોલીસ ઘટનાસ્થળે પહોંચી
ADVERTISEMENT
ઘટનાની જાણ થતાં જ કૃષ્ણનગર પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને સ્થળનું નિરીક્ષણ કરીને તપાસ હાથ ધરી છે. પોલીસે આસપાસના CCTV ફૂટેજ તેમજ અન્ય ટેકનિકલ પુરાવાના આધારે આરોપીઓને ઝડપી પાડવા માટે તપાસ તેજ કરી છે.
આ પણ વાંચોઃ અમદાવાદ પ્લાઝમા કૌભાંડમાં કેસમાં મોટો ઘટસ્ફોટ, ભેળસેળ થઈ હોવાનો રિપોર્ટમાં ખુલાસો
ADVERTISEMENT
હાલ પોલીસે લૂંટનું ચોક્કસ કારણ, આરોપીઓની ઓળખ તેમજ રોકડ કોની હતી તે સહિતના તમામ મુદ્દાઓની તપાસ શરૂ કરી છે. ઘટનાને પગલે વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.