બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / VTV વિશેષ / મંત્રીમંડળના વિસ્તરણને લઈ હવે અધિકારીઓ પણ કંટાળ્યા, હવે નક્કી કર્યું કે...
Last Updated: 08:00 AM, 28 April 2025
ITI હવે કોર્પોરેટ સ્ટાઈલથી ચાલશે, 600 કરોડનો થશે ખર્ચ
ADVERTISEMENT
આમ તો હવે કોઈ ભાગ્યે જ ITIમાં અભ્યાસ કરે છે, પરંતુ લાગે છે કે ગુજરાતના યુવાનોનો સુવર્ણ સમય આવવાનો છે, કારણ કે રાજ્ય સરકારે ITIને પુનઃજીવિત કરવાનું નક્કી કર્યું છે. હાલ તો ITIની હાલત કેવી છે, તે તમે અને સરકાર બંને જાણએ છે. કેટલાક દિવસ પહેલા કેન્દ્રના નીતિ આયોગના અહેવાલે ITI વિશે બધી જ માહિતી આપી હતી, જેમાં એક વાત એ પણ હતી કે ITIમાં તાલીમ મેળવ્યા પછી પણ યુવાનોને રોજગાર મળતો નથી. સ્કિલ ડેવપલમેન્ટ ઉપરાંત શ્રમ અને રોજગાર વિભાગના કરોડો રૂપિયા ક્યાં વપરાઈ ગયા? તેઓ પ્રશ્ન પણ વિરોધ પક્ષે ઉઠાવ્યો હતો. ગુજરાતની ITIમાં ઇન્સ્ટ્રક્ટર માટે કુલ 10,004 જગ્યા મંજૂર કરાઈ છે. તે પૈકી 4 હજારથી વધુ જગ્યા લાંબા સમયથી ખાલી છે. ઔદ્યોગિક તાલીમ મેળવ્યા બાદ વર્ષ 2020 પહેલાં અને પછી કેટલા તાલીમાર્થીઓને રોજગાર મળ્યો તેની કોઈ વિગત સરકાર પાસે નથી. ITIમાં હાલમાં જે કંઈ મશીનરી છે તે પણ આઉટડેટેડ છે. જેથી વિધાર્થીઓને જે તાલીમ મળે છે તે અપૂરતી છે. એટલે હવે સરકારે ITI ચલાવવાની ખો ખાનગી કપંનીને આપી દીધી છે. તાજેતરમાં જ વિભાગે ટાટા કંપની સાથે એમઓયુ કર્યા છે. ટાટાના સહયોગથી હવે ITIનો વિકાસ કરાશે. કંપની પોતાની મશીનરી નાખશે તેમજ એપ્રેન્ટીસોને અત્યાધુનિક તાલીમ પણ આપશે. જેના માટે લગભગ 600 કરોડથી વધુનો ખર્ચ કરાશે.
હવે તો અધિકારીઓ પણ કંટાળ્યા, હવે સમય નહીં બગાડે!
ADVERTISEMENT
રાજ્ય સરકારમાં કામ કરતા અધિકારીઓ પણ હવે કંટાળી ગયા છે, અને તેમણે નક્કી કર્યું છે કે એક બાબત પર તો અમે ચર્ચા પણ નહીં કરીએ. આ કઈ બાબત છે? સરકારના વિસ્તરણની. છેલ્લા એક વર્ષથી સરકારના મંત્રીમંડળનું વિસ્તરણ થશે એવી ચર્ચા થતી આવી છે. ઉપરાંત ભાજપના પ્રદેશ પ્રમુખની વરણી ટૂંક સમયમાં થશે એવી વાતો પણ છેલ્લા છ મહિનાથી થતી રહી છે. ક્યારેક ચૂંટણી પછી, તો ક્યારેક બજેટ સત્ર પૂર્ણ થયા બાદ નવા પ્રમુખની જાહેરાત થઈ જશે એવી ચર્ચા ચાલ્યા કરે છે. સચિવાલયમાં બેસતા મોટાભાગના બ્યુરોક્રેટ્સ પણ આ બન્ને બાબતે સંદર્ભમાં અન્ય આઈએએસ અધિકારીઓસાથે ચર્ચા કરતા હતા. પણ હવે તેઓએ આ સંદર્ભમાં ચર્ચા કરવાનું પણ બંધ કરી દીધુ છે. જો કોઈ વ્યક્તિ આઈએએસ સાથે આ સંદર્ભમાં ચર્ચા શરૂ કરે તો તેઓ તુરંત કહી દે છે કે, એક વર્ષથી ચર્ચા ચાલે છે હવે આપણે આવી ચર્ચા કરીને સમય બગાડવો નથી. હાઈકમાન્ડની ઈચ્છા હશે ત્યારે જ પ્રક્રિયા હાથ ધરાશે.
આ પણ વાંચો: વિષ કન્યાએ લીધો 2000થી વધુ પુરુષોનો ભોગ, બનાવી મહિલાઓની ગેંગ, પણ કોઈ ન આપી શક્યું સજા
ગુજરાત રાજ્યનો વહીવટ હવે એકદમ સુધરી જશે
સરકારી કામો કેવી રીતે થાય છે, તેનો અનુભવ આપણા બધાને ક્યારેક ને ક્યારેક થયો જ હોય છે. પરંતુ હવે ગુજરાતમાં વહીવટી કામો ખૂબ સરસ રીતે પૂરા થઈ જશે. નજીકના ભવિષ્યમાં ગુજરાત ખરેખર મોડેલ સ્ટેટ બની જાય, તો પણ નવાઈ નહીં. કારણ કે સરકારે ત્રણ IAS અધિકારીને આ કામ પર લગાડ્યા છે. ગુજરાત વહીવટી સુધારણા પંચની રચના બાદ બે સિનિયર સાથે તેનાથી જૂનિયર ગણાતા IAS અધિકારી વહીવટી સુધારણા કરવાની પ્રક્રિયાને આખરી ઓપ આપી રહ્યા છે. પંચની રચના થયાના માત્ર એક જ મહિનામાં IAS અધિકારીઓની આ ત્રિપુટીએ મુખ્યમંત્રીને અહેવાલ આપી દીધો હતો. ગત અઠવાડિયે ફરીથી બીજો અહેવાલ આપી દીધો છે. જેમાં પંચે સમાજના લોકોને નાની મોટી કામગીરીમાં ખુબ જ સરળતા રહે તેમજ સરકારની તમામ યોજનાઓનો વિના અવરોધે અને ઝડપથી લાભ મળે તેના પર ધ્યાન કેન્દ્રિત કરાયુ છે. બીજા મહિને 10 જેટલી ભલામણો છે. ડિજિટલ ટેકનોલોજીના ઉપયોગથી ‘ગવર્મેન્ટ એટ યોર ડોર સ્ટેપ’-સરકાર તમારે દ્વારનો ધ્યેય રાખીને સિટીઝન સેન્ટ્રીક 10 જેટલી ભલામણો છે. ઉપરાંત તમામ સરકારી સેવાઓ માટે સિંગલ સાઇન-ઓન બનાવવાની ભલામણ છે. નાગરિકોને કોઈપણ સરકારી યોજના અથવા કાર્યક્રમનો લાભ એક જ જગ્યાએથી ઉપલબ્ધ થઇ શકે. ગુજરાતને અગ્રેસર રાખવાના ધ્યેયથી રાજ્ય શાસનના વહીવટી માળખા અને કાર્ય પદ્ધતિમાં જરૂરી ફેરફાર કરવા માટે અધિકારીઓ તનતોડ મહેનત કરી રહ્યા છે.
સંકળાયેલા મુદ્દાઓ
Sanjay Vibhakar is a journalist with VTV Gujarati.
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.