બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / અમદાવાદના નારણપુરામાં અસામાજિક તત્વોનો આતંક, પાર્ક કરેલી કારોના કાચ તોડાયા
Last Updated: 07:44 AM, 17 March 2026
Ahmedabad News: અમદાવાદ શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી અસામાજિક તત્વોની હરકતો વધતી જોવા મળી રહી છે. તાજી ઘટનામાં નારણપુરા વિસ્તારમાં આવેલા વર્દાન ટાવર પાસે મોડી રાત્રે તોડફોડની ઘટના સામે આવી છે. આ ઘટનાથી સ્થાનિક રહેવાસીઓમાં ભય અને ચિંતા ફેલાઈ ગઈ છે.
ADVERTISEMENT
માહિતી મુજબ નારણપુરા વિસ્તારમાં વરદાન ટાવર નજીક કેટલાક અસામાજિક તત્વોએ અચાનક આતંક મચાવ્યો હતો. ટાવર નીચે પાર્ક કરેલી અનેક કારોને નિશાન બનાવી તેમના કાચ તોડી નાખવામાં આવ્યા હતા. આ ઘટનામાં અનેક વાહનોને નુકસાન પહોંચ્યું છે. ગાડીના માલિકોને આર્થિક નુકસાન સહન કરવું પડ્યું છે.

ADVERTISEMENT
સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ મોડી રાત્રે અચાનક તોડફોડના અવાજો આવવા લાગ્યા હતા. શરૂઆતમાં લોકોને શું થયું છે તે સમજાયું નહોતું પરંતુ પછી બહાર આવી જોયું તો પાર્ક કરેલી કારોના કાચ તૂટી ગયેલા જોવા મળ્યા. આ દ્રશ્ય જોઈ લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. જો કે આ ઘટનાની જાણ થતાં જ સ્થાનિકોએ તરત જ પોલીસને જાણ કરી હતી. માહિતી મળતા જ નારણપુરા પોલીસ દોડતી ઘટના સ્થળે પહોંચી હતી અને સમગ્ર મામલે તપાસ શરૂ કરી હતી.
ADVERTISEMENT

પોલીસ હાલ આસપાસના સીસીટીવી ફૂટેજ ચકાસી રહી છે જેથી તોડફોડ કરનાર અસામાજિક તત્વોને ઓળખી શકાય. પોલીસ દ્વારા આરોપીઓને ઝડપવા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ ઘટનાને પગલે વિસ્તારમાં રહેતા લોકોમાં સુરક્ષા અંગે ચિંતા વ્યક્ત થઈ રહી છે અને પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી રહી છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.