બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / અમદાવાદ શહેર અને જીલ્લામાં 8 સ્થળો પર મોકડ્રીલ, 8:30 થી 9:00 દરમિયાન બ્લેકઆઉટ

તૈયારી / અમદાવાદ શહેર અને જીલ્લામાં 8 સ્થળો પર મોકડ્રીલ, 8:30 થી 9:00 દરમિયાન બ્લેકઆઉટ

Last Updated: 04:35 PM, 7 May 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદ જિલ્લામાં 'ઓપરેશન અભ્યાસ' અંતર્ગત 8 સ્થળોએ સિવિલ ડિફેન્સ મોકડ્રીલ યોજાશે, જિલ્લા કલેક્ટરના માર્ગદર્શનમાં યોજાનાર સિવિલ ડિફેન્સ મોકડ્રીલમાં સિવિલ ડિફેન્સ અંગે નાગરિકોને જાગૃત કરાશે

અમદાવાદ જિલ્લા કલેક્ટર સુજીત કુમારના માર્ગદર્શનમાં 'ઓપરેશન અભ્યાસ' અંતર્ગત જિલ્લાનાં 8 સ્થળો પર સિવિલ ડિફેન્સ મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું છે. અમદાવાદ જિલ્લામાં ધંધુકા નગરપાલિકા, વિરમગામ ટેન્ક ફાર્મ, પીરાણા સબ સ્ટેશન પાવરગ્રીડ, વટવા જી.આઈ.ડી.સી, ગેલોપ્સ ઈન્ડસ્ટ્રીયલ પાર્ક, ગણેશપુરા(કોઠ) મંદિર, સાણંદ જી.આઈ.ડી.સીમાં આવેલ ટાટા પ્લાન્ટ તથા થલતેજના પેલેડિયમ મોલ ખાતે બપોરે 4.00 થી 08:15 દરમિયાન આ સિવિલ ડિફેન્સ મોકડ્રીલ યોજવામાં આવશે. અમદાવાદ શહેરી અને ગ્રામીણ વિસ્તારોમાં બ્લેકઆઉટનો સમય રાત્રિના 8.30થી 9.00 રહેશે.

8 સ્થળે મોકડ્રીલનું આયોજન

અમદાવાદ શહેર અને જિલ્લામાં કુલ 8 સ્થળે મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું છે. શહેરમાં બે સ્થળ પર મોકડ્રીલ યોજાશે. પલેડીયમ મોલ, વટવા GIDCમાં મોકડ્રીલ થશે. ધંધુકા નગરપાલિકા, વિરમગામ ટેંક ફાર્મ, પાવરગ્રીડ પીરાણામાં મોકડ્રીલ થશે તેમજ ગેલોપ્સ ઇન્ડસ્ટ્રીયલ પાર્ક, ગણેશપુરા કોઠ મંદિર, સાણંદ GIDC ટાટા પ્લાન્ટમાં મોકડ્રીલ થશે તેમજ શહેરીજનો સ્વૈચ્છિક રીતે મોકડ્રીલમાં ભાગ લેશે

18 જિલ્લાઓમાં પણ સિવિલ ડિફેન્સ મોકડ્રીલ માટેની તૈયારીઓ

જિલ્લા વહીવટીતંત્ર દ્વારા તમામ 8 સ્થળોએ સિવિલ ડિફેન્સ મોકડ્રીલના યોગ્ય આયોજન માટે નોડલ અધિકારીઓની નિમણૂંક કરવામાં આવી છે તેમજ તમામ વિભાગો સાથે સંકલન કરીને અન્ય તમામ જરૂરી વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે દેશભરમાં 7મી મેના રોજ સિવિલ ડિફેન્સ મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું છે. રાજ્યના વિવિધ 18 જિલ્લાઓમાં પણ સિવિલ ડિફેન્સ મોકડ્રીલ માટેની તૈયારીઓ કરી લેવામાં આવી છે. અમદાવાદ શહેરમાં પણ જુદાં જુદાં 10 સ્થળોએ મોકડ્રીલ યોજાશે.

યુદ્ધવાળું સાયરન કયા લાગેલું હોય છે?

આ સાયરન સામાન્ય રીતે વહીવટી ઇમારતો, પોલીસ મુખ્યાલય, ફાયર સ્ટેશન, લશ્કરી થાણા અને શહેરના ભીડભાડવાળા વિસ્તારોમાં ઊંચાઈએ સ્થાપિત કરવામાં આવે છે. તેમનો હેતુ સાયરનનો અવાજ શક્ય તેટલા દૂર સુધી પહોંચે તેવો છે. આ ખાસ કરીને દિલ્હી-નોઈડા જેવા મોટા શહેરોમાં સંવેદનશીલ વિસ્તારોમાં સ્થાપિત કરી શકાય છે. તે દેશના દરેક શહેરમાં સ્થાપિત કરી શકાય છે.

યુદ્ધવાળું સાયરન કેવું હોય છે?

'રસ્ટ સાયરન' વાસ્તવમાં એક મોટેથી ચેતવણી આપતી સિસ્ટમ છે. તે યુદ્ધ, હવાઈ હુમલો અથવા આપત્તિ જેવી કટોકટીની પરિસ્થિતિઓ વિશે માહિતી આપે છે. તેના અવાજમાં સતત ઉચ્ચ-નીચું કંપન હોય છે, જે તેને સામાન્ય હોર્ન અથવા એમ્બ્યુલન્સના અવાજથી સંપૂર્ણપણે અલગ બનાવે છે.

તેનો અવાજ કેવો હોય છે અને કેટલે દૂર સુધી જાય છે?

યુદ્ધના સાયરનનો અવાજ ખૂબ જ જોરથી સંભળાય છે. સામાન્ય રીતે તે 2-5 કિલોમીટરની રેન્જ સુધી સાંભળી શકાય છે. અવાજમાં એક ચક્રીય પેટર્ન છે. એટલે કે, તે ધીમે ધીમે વધે છે, પછી ઘટે છે અને આ ક્રમ થોડી મિનિટો સુધી ચાલુ રહે છે. જ્યારે એમ્બ્યુલન્સ સાયરન 110-120 ડેસિબલનો અવાજ કરે છે, ત્યારે યુદ્ધ સાયરન 120-140 ડેસિબલનો અવાજ કરે છે.

ભારતમાં 'યુદ્ધ સાયરન' સૌપ્રથમ ક્યારે વાગ્યું?

ભારતમાં, 1962ના ચીન યુદ્ધ, 1965 અને 1971ના ભારત-પાકિસ્તાન યુદ્ધ દરમિયાન યુદ્ધ સાયરનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. તે સમયે આ સાયરન ખાસ કરીને દિલ્હી, મુંબઈ, કોલકાતા અને અમૃતસર જેવા શહેરોમાં લગાવવામાં આવ્યા હતા. આ ઉપરાંત, કારગિલ યુદ્ધ દરમિયાન સરહદી વિસ્તારોમાં તેનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

જ્યારે સાયરન વાગે તો શું કરવું?

સાયરન વાગવાનો અર્થ એ છે કે લોકોએ તાત્કાલિક સલામત સ્થળોએ ખસી જવું જોઈએ. પરંતુ મોક ડ્રીલ દરમિયાન ગભરાશો નહીં. ખુલ્લા વિસ્તારોથી દૂર રહો. ઘરો અથવા સુરક્ષિત ઇમારતોની અંદર જાઓ. ટીવી, રેડિયો અને સરકારી ચેતવણીઓ પર ધ્યાન આપો. અફવાઓથી દૂર રહો અને વહીવટીતંત્રની સૂચનાઓનું પાલન કરો.

સુરક્ષાનું સાયરન: આટલું ધ્યાન રાખો

સાયરન વાગે ત્યારે ગભરાશો નહીં, શાંત રહીને સુરક્ષા વ્યવસ્થાનું પાલન કરશો.

5 થી 10 મિનિટ માટે સુરક્ષિત સ્થાન પર જતા રહો.

ટીવી, રેડિયો અને સરકારી ચેતવણીઓ પર ધ્યાન આપો.

અફવાઓ પર ધ્યાન ન આપો. ફક્ત સત્તાવાર માહિતી પર વિશ્વાસ કરો.

જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આપવામાં આવેલી સૂચનાઓનું પાલન કર

આ પણ વાંચો: રાજ્યમાં વરસાદી માહોલ યથાવત, સવારે છ થી બપોરે બાર વાગ્યા સુધીમાં 123 તાલુકામાં મેઘ 'કહેર'

કેટલા સમયમાં જગ્યા ખાલી કરવાની હોય છે?

વાસ્તવિક યુદ્ધ જેવી પરિસ્થિતિમાં, પહેલા સાયરન વાગ્યા પછી 5 થી 10 મિનિટની અંદર સલામત સ્થળે પહોંચવું પડે છે. આ જ કારણ છે કે લોકોને ઝડપથી અને શાંતિથી બહાર નીકળવાનું શીખવવા માટે મોક ડ્રીલનો ઉપયોગ કરવામાં આવે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Ahmedabad Operation Practice Civil Defense Mock Drill Ahmedabad News
Dinesh Chaudhary

Dinesh Chaudhary is a journalist at VTV Gujarati, covering breaking news, politics, and social issues with deep insights and a commitment to truth.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ