બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / ભાજપ MLAના વિરોધને પગલે અમદાવાદ મનપાએ કતલખાનાની દરખાસ્ત પાછી ખેંચી, 32 કરોડ ફાળવ્યાં હતા

અમદાવાદ / ભાજપ MLAના વિરોધને પગલે અમદાવાદ મનપાએ કતલખાનાની દરખાસ્ત પાછી ખેંચી, 32 કરોડ ફાળવ્યાં હતા

Priyankka Triveddi

Last Updated: 12:27 PM, 5 February 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

AMC News: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના 2026-27ના ડ્રાફ્ટ બજેટમાં 123 વર્ષ પછી નવા આધુનિક કતલખાનાંના પ્રસ્તાવ બાદ ધારાસભ્યના વિરોધ પછી AMC કમિશનર દ્વારા નવો નિર્ણય લેવામાં આવ્યો છે.

Ahmedabad Slaughter House Project: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વર્ષ 2026-27ના ડ્રાફ્ટ બજેટમાં શહેર માટે એક મહત્વપૂર્ણ અને ચર્ચાસ્પદ નિર્ણય સામે આવ્યો હતો. જેમાં શહેરમાં 123 વર્ષ પછી નવા કતલખાનાંના નિર્માણનો પ્રસ્તાવ મુકાયો હતો. દક્ષિણ ઝોનના શાહવાડી-બહેરામપુરા વિસ્તારમાં આધુનિક સુવિધાઓથી સજ્જ સ્લોટર હાઉસ બનાવવાની યોજના જાહેર થતાં રાજકીય અને સામાજિક વર્તુળોમાં ચર્ચા તેજ થઈ હતી અને તેનો વિરોધ પણ કરવામાં આવ્યો હતો. ધારાસભ્ય દવર આ નિર્ણયનો વિરોધ કરવામાં આવતા અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર દ્વારા કતલખાના બનવાની જોગવાઈ પરત કરવામાં આવી છે.

આ અંગે વાત કરતાં અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિએ મીડિયાને જણાવ્યું જે તેઓ કતલખાનાની દરખાસ્તને પરત ખેંચે છે. ઉલ્લેખનીય છે કે હજુ ગઇકાલે જ કોર્પોરેશનના બજેટમાંથી 32 કરોડની ફંડ ફાળવીને જૂનું કતલખાનું બંધ કરી નવું બનાવવાની યોજના અમલમાં મૂકવામાં આવી હતી. પણ આ બાબતે ભાજપના પૂર્વ મેયર અને એલિસબ્રિજના ધારાસભ્ય અમિત શાહે વિરોધ નોંધાવ્યો હતો. જે પછી આ દરખાસ્તને ખારીજ કરવામાં આવી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદ શહેરના દક્ષિણ ઝોનમાં શાહવાડી–બહેરામપુરા વિસ્તારમાં આવેલા TP-32 ખાતે નવા કતલખાનાની સ્થાપનાનો પ્રસ્તાવ મુકવામાં આવ્યો હતો. આ માટે અંદાજિત 32 કરોડનો ખર્ચ અને આશરે 15,800 સ્ક્વેર મીટર જેટલી જમીન ફાળવવાનો પણ નિર્ણય લેવાયો હતો.

કોર્પોરેશન દ્વારા કરવામાં આવેલા દાવા અનુસાર પ્રસ્તાવિત સ્લોટર હાઉસનું નિર્માણ સુપ્રીમ કોર્ટની માર્ગદર્શિકા તેમજ કેન્દ્ર અને રાજ્ય સરકારના કંપેન્ડિયમમાં દર્શાવાયેલા તમામ નિયમો અને માપદંડોને અનુરૂપ કરવામાં આવવાનું હતું અને અહીં પશુઓ માટે સુવિધાયુક્ત વાડા, કૂલિંગ અને ચિલિંગ સુવિધાઓ, રેન્ડરિંગ પ્લાન્ટ સહિતની આધુનિક વ્યવસ્થાઓ ઉભી કરવાની યોજના અમલમાં મૂકવાની વાત હતી.

હાલમાં અમદાવાદનું એકમાત્ર સ્લોટર હાઉસ જમાલપુર વિસ્તારમાં કાર્યરત છે, જ્યાં દરરોજ અંદાજે 80થી 90 નાના અને મોટા પશુઓની કતલ કરવામાં આવે છે. અહીં બહારથી લાવવામાં આવેલા પશુઓને નિયમો અનુસાર મંજૂરી આપવામાં આવે છે અને નીતિ-નિયમો મુજબ કતલ બાદ માંસનું યોગ્ય રીતે પરિવહન કરવામાં આવે છે.

આ પણ વાંચો: અમદાવાદમાં હાઇ પ્રોફાઇલ દારૂની પાર્ટી ઝડપાઈ, પોલીસ રેડમાં 80 યુવક-યુવતીઓ પકડાયા

vtv app promotion

ડ્રાફ્ટ બજેટમાં જણાવ્યા મુજબ શહેરમાં છેલ્લા એક સદીથી વધુ સમયથી કોઈ નવું કતલખાનું બનાવવામાં આવ્યું નથી. જમાલપુર સ્લોટર હાઉસનું નિર્માણ વર્ષ 1903માં થયું હતું અને ત્યારબાદ અમદાવાદના વિસ્તાર અને વસતીમાં નોંધપાત્ર વધારો થવા છતાં નવી સુવિધા ઉભી કરવામાં આવી નહોતી. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને મ્યુનિસિપલ તંત્રે આધુનિક અને સુસજ્જ સ્લોટર હાઉસની જરૂરિયાત હોવાનું દર્શાવી આ નવા પ્રોજેક્ટનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો જેનો વિરોધ થતાં આ પ્રસ્તાવને નકારી દેવાયો છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

AMC Draft Budget કતલખાનું પ્રોજેક્ટ Ahmedabad Slaughter house project
Priyankka Triveddi

Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ