બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / Gujarat navratri garba minister of state for home affairs pradipsinh jadeja
ADVERTISEMENT
ગુજરાતના ગૃહરાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ નવરાત્રી યોજવાને લઇને નિવેદન આપ્યું છે. ગૃહરાજ્ય મંત્રીએ કહ્યું નવરાત્રી અંગે યોગ્ય સમયે વિચાર કરી નિર્ણય લેવામાં આવશે. રાજ્ય સરકાર કોરોનાની ગાઇડલાઇનના પાલન સાથે કેવી રીતે ઉજવણી થાય તેના પર વિચારણા કરી નિર્ણય લેવામાં આવશે.
જો કે થોડા દિવસ પહેલાં જ ગરબાને લઇને સરકાર મોટી જાહેરાત કરે તેવા સમાચારને લઇને અટકળો સામે આવી હતી. જેમાં રાજ્યના ગરબા ખેલૈયાઓને સારા સમાચાર મળી શકે છે. નવરાત્રીમાં ગરબા માટે સરકાર છૂટછાટ આપી શકે છે. નિયમો સાથે સરકાર આયોજનને છૂટછાટ આપી શકે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી હતી. રાજકોટના એક ગરબા આયોજકે પાસ બુકિંગની જાહેરાત કરી હોવાના કારણે આ અટકળો સામે આવી હતી.
ADVERTISEMENT
હાલમાં રાજ્યભરમાં કોરોનાની મહામારીને લઇને હજુ પણ સરકાર દ્વારા સ્કૂલ, કોલેજે, સિનેમા હોલ વગેરેને લઇને છૂટછાટ આપવામાં આવી નથી. રાજ્યમાં હજી પણ મંદિરોમાં દર્શનને લઇને પણ છૂટછાટ આપવામાં આવી નથી. ત્યારે હાલમાં ગણેશચતુર્થી અને લોકમેળામાં સરકાર દ્વારા છૂટછાટ આપવામાં આવી નથી.
ત્યારે નવરાત્રીને લઇને ગરબાને લઇને છૂટછાટ આપવામાં આવશે કે નહી તે ગરબા ખૈલેયાઓમાં હાલ ચર્ચાનો વિષય બની જોવા મળી રહ્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.