બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / તંત્રની બેદરકારીએ બાળકનો ભોગ લીધો, ખુલ્લા ડ્રેનેજમાં પડી જવાથી 6 વર્ષના માસૂમનું મોત
Last Updated: 11:04 PM, 26 April 2025
મોરબીના નવલખા રોડ પર એક કરૂણ ઘટના બની છે. ડ્રેનેજના પાણીમાં ડૂબી જવાના કારણે 6 વર્ષીય બાળકનું મૃત્યુ નીપજ્યું છે. રવિ ચૌહાણ નામનો 6 વર્ષનો બાળક નાળામાં ડ્રેનેજના પાણીમાં ડૂબતા મોત થયું છે. બાળકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડાયો છે. ઘટનાની જાણ થતા જ પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તાપસ હાથ ધરી છે.
ADVERTISEMENT

પરિવારમાં શોકનું મોજુ
ADVERTISEMENT
ઘટનાના પગલે પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે તેમજ સમગ્ર ફળીયામાં સન્નાટો વ્યાપી જવા પામ્યો છે. ખુલ્લા નાળો હોવાથી બાળક રમતા રમતા તે ડ્રેનેજ પાણીના નાળામાં પડી ગયો હતો, જેમાં તે બાળકનું દુ:ખદ અવસાન થયું હતું.
આ પણ વાંચો: VIDEO: હર્ષ સંઘવીની પાકિસ્તાનીઓને ચેતવણી, અનંતનાગમાં 175 શંકાસ્પદોની અટકાયત, જુઓ આજના મોટા સમાચાર
ADVERTISEMENT
મૃતદેહને પીએમ અર્થે ખસેડાયો
મોરબીમાં તંત્રની ઘોર બેદરકારીએ બાળકનો જીવ લઈ લીધો છે. ખુલ્લો નાળો હોવાથી આ દૂર્ઘટના બનતા સ્થાનિક લોકોમાં રોષ પણ જોવા મળી રહ્યો છે. આ ઘટનામાં મૃતક બાળકની ડેડ બોડીને સરકારી હોસ્પિટલ ખાતે પી.એમ.માટે મોકલવામાં આવી હતી. આ ઘટનામાં માસુમ બાળકના મોતથી પરિવાર પર આભ તૂટી પડ્યું હતું. આ ગોઝારી ઘટનાના પગલે સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
Dinesh Chaudhary is a journalist at VTV Gujarati, covering breaking news, politics, and social issues with deep insights and a commitment to truth.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.