CM રૂપાણીએ રાજ્યના વાહનોથી ફેલાતા વાયુ પ્રદૂષણને અટકાવવા બેટરી સંચાલિત ટુ વ્હીલર-થ્રી વ્હીલરના ઉપયોગને પ્રેરિત કરતી સહાય યોજના જાહેર કરી છે.
પ્રદુષણ અટકાવવા રાજ્ય સરકારનો નિર્ણય
ઇલેક્ટ્રિક વાહનની ખરીદી પર અપાશે સહાય
ટુ વ્હીલરની ખરીદી પર 12 હજારની સહાય
વિદ્યાર્થીઓને મળશે રાહત
આ સહાય યોજના અન્વયે રાજ્યના ધોરણ-9થી લઇને કોલેજ સુધીનો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને બેટરી સંચાલિત ટુ વ્હીલર ખરીદવા સરકાર 12000 રૂપિયાની સહાય આપશે. આ સહાય 10,000 વાહનોને આપવાનો લક્ષ્યાંક છે.
ઇ-રિક્ષા ખરીદીમાં પણ 48000 રૂપિયાની સહાય
વ્યકિતગત અને સંસ્થાકીય લાભાર્થીઓ માટે બેટરી સંચાલિત ઇ-રિક્ષા થ્રી વ્હીલર ખરીદીમાં પણ 48000 રૂપિયાની સહાય રાજ્ય સરકાર આપશે અને પાંચ હજાર ઇ-રિક્ષાઓને તેનો લાભ અપાશે. સાથોસાથ બેટરી સંચાલિત વાહનોના ચાર્જિંગની માળખાકીય સુવિધાઓ ઊભી કરવા રૂપિયા 50 લાખની યોજના પણ રાજ્યમાં અમલમાં મુકવામાં આવી છે.