જાહેરાત / શિક્ષકો અને કર્મચારીઓને લઇને ગુજરાત સરકારનો મોટો નિર્ણય, 70 હજાર કર્મચારીઓને મળશે લાભ

Gujarat government important decision regarding teachers and staff

શિક્ષકો અને કર્મચારીઓને લઇને રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે. રાજ્યમાં હવે શિક્ષકો-કર્મચારીઓને ફાજલ તરીકેનું કાયમી રક્ષણ મળશે. શાળા કે વર્ગ બંધ થવાના કારણે કર્મચારીઓ નોકરી નહીં ગુમાવે. અનુદાનિત માધ્યમિક અને ઉ.માધ્યમિક શાળાના શિક્ષકોને રક્ષણ અપાશે. તો નવી નિમણૂક પામનારા શિક્ષકને લાભ મળશે. શાળા બદલવા માગતા હોય તેવા શિક્ષકો પણ આ જોગવાઇનો લાભ લઇ શકશે. ખાલી પડતી જગ્યાને નવેસરથી ભરવાને બદલે ફાજલ શિક્ષકને જવાબદારી સોંપી શકાશે. સરકારના નિર્ણયથી 70 હજાર જેટલાં શિક્ષક-કર્મચારીઓને આનો લાભ મળશે.

બ્રેકિંગ ન્યૂઝ