ગુજરાતમાં નિસર્ગ વાવાઝોડાંના ખતરાને ધ્યાનમાં રાજ્યમાં તંત્ર અલર્ટ થઇ ગયું છે. રાજ્યમાં આગામી 4 અને 5 જૂનના રોજ ભારે વરસાદની આગાહી જાહેર કરવામાં આવી છે. જેને લઇને રાજ્યના કેટલાંક જિલ્લાઓના દરિયાકાંઠા વિસ્તારોમાં માછીમારોને દરિયો ન ખેડવાની સુચના આપવામાં આવી છે. ત્યારે અરબી સમુદ્રમાં સક્રિય ડિપ્રેશન લો પ્રેશરમાં પરિવર્તિત થઇ રહેલું જોવા મળી રહ્યું છે. જે આગામી 12 કલાકમાં ડિપ્રેશન ડીપ વાવાઝોડામાં પરિવર્તિત થશે.
સુરતના દરિયા કિનારાથી 920 કિલોમીટર દૂર ડિપ્રેશન
સંભવિત વાવાઝોડાને લઈને ગાંધીનગરમાં મહત્વની બેઠક
CM રૂપાણીની ડિઝાસ્ટર વિભાગના અધિકારીઓ સાથે બેઠક
ગુજરાતમાં નિસર્ગ વાવાઝોડાનો ખતરો મંડરાઇ રહ્યો છે. અરબ સાગરના દક્ષિણ-પૂર્વ વિસ્તારમાં લો પ્રેશર યથાવત્ છે. ત્યારે હવામાન વિભાગે જણાવ્યું કે 1 જૂને લો-પ્રેશર ડિપ્રેશનમાં પરિવર્તિત થશે. 2 જૂને ડિપ્રેશન વાવાઝોડામાં પરિવર્તિત થઈને આગળ વધશે.
ગુજરાતમાં વાવાઝોડાનું સંકટ તોળાઈ રહ્યું છે. અરબી સમુદ્રમાં ડિપ્રેશન સક્રીય થયું છે. જે આગામી 12 કલાકમાં વાવાઝોડામાં પરિવર્તિત થઈ જશે અને આગામી 24 કલાકમાં વાવાઝોડું દક્ષિણ ગુજરાતના દરિયા કિનારા તરફ ટકરાઈ શકે છે.
દક્ષિણ ગુજરાતના દરિયા કિનારા તરફ વાવાઝોડું આગળ વધી રહ્યું છે. સુરતના દરિયા કિનારાથી આ ડિપ્રેશન 920 કિમી દૂર સર્જાયું છે. ત્યારે હવામાન વિભાગે માછીમારોને દરિયો ન ખેડવા માટે પણ સૂચના આપી દીધી છે. 3 જૂને આ વાવાઝોડું દક્ષિણ ગુજરાતના દરિયા કિનારે ટકરાઈ શકે છે. જેના કારણે આસપાસના જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે.
દક્ષિણ ગુજરાતના દરિયા કિનારા તરફ વધી રહ્યું છે ડિપ્રેશન
સુરતના દરિયા કિનારાથી 920 કિમી દૂર છે ડિપ્રેશન
હવામાન વિભાગે માછીમારોને દરિયો ન ખેડવા આપી સૂચના
3 જૂને ગુજરાતના દરિયાકિનારે પહોંચી શકે વાવાઝોડું
દક્ષિણ ગુજરાતના અનેક જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ થઈ શકે
મહારાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠે થઈ શકે અસર
90થી 100 કિમી પ્રતિ કલાકે ફુંકાઈ શકે છે પવન
કયા જિલ્લામાં થઈ શકે વરસાદ?
વલસાડ, નવસારી, સુરત, ભરૂચ
વડોદરા, આણંદ, દમણ, દાદરા નગરહવેલી
ભાવનગર, અમરેલી, દીવ, ગીર-સોમનાથ
ડાંગ, તાપી, છોટાઉદેપુર, પંચમહાલ
દાહોદ, ખેડા અને અમદાવાદ
રાજ્યમાં વાવાઝોડાના પગલે જૂનાગઢના માંગરોળ, જામનગરના રોજી બંદર પર 1 નંબરનું સિગ્નલ લગાવામાં આવ્યું છે. જ્યારે નવસારીમાં કાંઠાના તમામ સરપંચ-તલાટીઓને એલર્ટ રહેવાની સુચના આપવામાં આવી છે. જ્યારે સુરત ખાતે વાવાઝોડાના પગલે 1 NDRF ની ટીમ ફાળવવામાં આવી છે.
સંભવિત વાવાઝોડાને લઈને ગાંધીનગરમાં મહત્વની બેઠક
સંભવિત વાવાઝોડાને લઈને ગાંધીનગરમાં મહત્વની બેઠક યોજાઇ રહી છે. સીએમ રૂપાણીની ડિઝાસ્ટર વિભાગના અધિકારીઓ સાથે બેઠક છે. સીએમ રૂપાણીની સ્ટેટ ડિઝાસ્ટર મોનિટરિંગ સેન્ટર ખાતે અધિકારી સાથે બેઠકમાં ગુજરાતમાં સંભવિત વાવાઝોડાને લઇ ચર્ચા કરશે. હાલ વાવાઝોડું વલસાડના દરિયા કિનારે ટકરાય તેવી સ્થિતિ છે. જેને લઇ રાજ્ય સરકાર એક્શન પ્લાન તૈયાર કરશે.