બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / નવા મંત્રીમંડળનું વિસ્તરણ શરુ, આ મંત્રીઓ યથાવત રહ્યા, જુઓ લિસ્ટ

મોટા સમાચાર / નવા મંત્રીમંડળનું વિસ્તરણ શરુ, આ મંત્રીઓ યથાવત રહ્યા, જુઓ લિસ્ટ

Jay Bhatt

Last Updated: 09:54 AM, 17 October 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતના નવા મંત્રી મંડળના વિસ્તરણને લઈને આતુરતાનો અંત આવી ગયો છે. ધારાસભ્યોને મંત્રીમંડળની શપથવિધિ માટેના ફોન આવવાના શરુ થઈ ગયા છે.

Gujarat Cabinet Expansion : છેલ્લા ઘણા દિવસોથી ગુજરાતના નવા મંત્રી મંડળની ચાલી રહેલી ચર્ચાનો આજે અંત આવી ચૂક્યો છે, ટૂંક સમયમાં જ નવા મંત્રીમંડળના વિસ્તરણ થનાર છે, ત્યારે હવે ધારાસભ્યોને મંત્રીમંડળની શપથવિધિ માટે ફોન આવવાનું શરુ થઈ ગયા છે.

નવા મંત્રીમંડળનું ચિત્ર ધીરે ધીરે સ્પષ્ટ થયું

ગુજરાતના નવા મંત્રીમંડળના કોને સ્થાન મળશે તેનું ચિત્ર ધીરે ધીર સ્પષ્ટ થઈ રહ્યું છે. ધારાસભ્યોના નામ સામે આવી રહ્યા છે જેઓને મંત્રી પદના શપથ માટે ફોન કરવામાં આવ્યા છે. અગાઉ નો રિપીટની થીયરીની ચર્ચા થઈ રહી હતી, જો કે કેટલાક મંત્રીઓ યથાવત રાખવામાં આવ્યા છે.

vtv app promotion

આ મંત્રીઓને રિપીટ કરાયા

જે નામ સામે આવી રહ્યા છે તેમાથી પ્રફુલ પાનશેરીયા, કુંવરજી બાવળિયા, કનુ દેસાઈ, ઋષિકેશ પટેલ, સી.જે. ચાવડા, પરષોત્તમ સોલંકી, હર્ષ સંઘવી, અરવિંદ રાણા, સંગીતાબેન પાટીલનો સમાવેશ થાય છે. આ સિવાય કેટલાક નવા ચહેરાઓ જોવા મળી શકે છે.

જગદીશ વિશ્વકર્માને મંત્રી પરિષદમાં સામેલ નહીં થાય

ગુજરાત વિધાનસભામાં કુલ 182 સભ્યો છે અને બંધારણ મુજબ વધુમાં વધુ 27 મંત્રીઓની નિમણૂક કરી શકાય છે (એટલે ​​કે, ગૃહની કુલ સંખ્યાના 15%). આ મહિનાની શરૂઆતમાં રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્મા કેન્દ્રીય મંત્રી સીઆર પાટીલના સ્થાને ગુજરાત ભાજપના નવા પ્રમુખ બન્યા. પક્ષના સૂત્રોએ જણાવ્યું હતું કે, ભાજપની "એક વ્યક્તિ, એક પદ" નીતિને કારણે આ વખતે જગદીશ વિશ્વકર્મા મંત્રી પરિષદમાં સામેલ થશે નહીં.

આજે નવા મંત્રીમંડળની પ્રથમ કેબિનેટ બેઠક મળશે

સાંજે 4 કલાકે કેબિનેટ બેઠકનું આયોજન, ગાંધીનગરના મહાત્મા મંદિરમાં નવા મંત્રીઓના શપથ સમારોહનું આયોજન, 25 ધારાસભ્યો મંત્રી બને તેવી શક્યતા, ધનતેરસના દિવસે શુભ મુહૂર્તમાં મંત્રીઓ સંભાળશે ચાર્જ, અમુક મંત્રી દિવાળી પછી સાતમના દિવસે ચાર્જ સંભાળે તેવી શક્યતા છે.

વધુ વાંચો : LIVE: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રાજભવન પહોંચ્યા, જે મંત્રીઓ રીપીટ થશે એ મંત્રીઓ શપથ ગ્રહણ નહીં કરે

મહાત્મા મંદિર ખાતે કડક પોલીસ બંદોબસ્ત

શપથવિધિના પ્રવાહને ધ્યાનમાં રાખીને સુરક્ષા વ્યવસ્થા માટે પણ કડક બંદોબસ્ત ગોઠવાયો છે. મહાત્મા મંદિર ખાતે 2 ડીવાયએસપી, 20 પોલીસ ઇન્સ્પેક્ટર, 30 પીએસઆઈ અને આશરે 450 પોલીસ જવાનો તૈનાત રહેશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

cabinet expansion news update Gujarat cabinet expansion Big news on cabinet expansion
Jay Bhatt

Jai Bhatt is Sr. Sub Editor and working in journalism from more than 10 years. He is an expert of reporting and writing human interest news tories.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ