બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / ભાવનગર હત્યાકાંડ : ગીર અધિકારીઓ અને મહિલા વનકર્મીઓ વચ્ચે સુંવાળા સંબંધો, ઐયાશબાજીનો ઘટસ્ફોટ
Last Updated: 10:27 AM, 22 November 2025
ભાવનગરમાં ફોરેસ્ટ ઓફિસર શૈલેષ ખાંભલાએ પત્ની અને 2 સંતોનાની ઘાતકી હત્યા કરીને ક્વાર્ટરમાં જ ખાડો ગાળીને લાશ દાટી દીધી હતી. શૈલેષ ખાંભલાએ જંગલ ખાતામાં કામ કરતી એક મહિલા સાથે પ્રેમસંબંધ હતો અને પરસ્ત્રીને પામવા તેણે આવા ખૌફનાક હત્યાકાંડને અંજામ આપ્યો હતો.
ADVERTISEMENT
તપાસમાં શું સામે આવ્યું
આ કેસની પોલીસ તપાસમાં એવું સામે આવ્યું છે ગીરના અધિકારીઓ અને મહિલા વનકર્મીઓ વચ્ચે સુવાળા સંબંધો હતા. એક ગુજરાતી અખબારમાં પ્રકાશિત થયેલા અહેવાલ અનુસાર, એક મહિલા વનકર્મીએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે ગીરના અધિકારીઓ મહિલા કર્મીઓ સાથે સુંવાળા સંબંધો રાખી રહ્યા છે જેમાંના ઘણા પરિણીત છે. મહિલા કર્મીએ આ સંબંધમાં તપાસની પણ માગ કરી હતી.
ADVERTISEMENT
વધુ વાંચો : મહેસાણામાં છોકરીએ 16 વાર સુહાગરાત મનાવી, યુવાનોનું કરી નાખ્યું 52 લાખનું, ફેલાયો ડર
શું હતો ચકચારી બનાવ
ADVERTISEMENT
ભાવનગરમાં રહેતા અને ફોરેસ્ટ વિભાગમાં ACF (આસિસ્ટન્ટ કન્ઝર્વેટર ઓફ ફોરેસ્ટ) તરીકે ફરજ બજાવતા શૈલેષ ખાંભલાના પત્ની અને બે સંતાનો 5મી નવેમ્બરે ગુમ થયા બાદ 16મી નવેમ્બરે ફોરેસ્ટ કોલોનીમાં તેમના ઘરથી 20 ફૂટ દૂર ખાડામાંથી મૃતદહે મળી આવ્યા હતા. તપાસમાં શૈલેષે જ પત્ની અને સંતાનોની હત્યા કરી હોવાનું પુરવાર થયું હતું. શૈલેષ ખાંભલાએ 7 નવેમ્બરે ત્રણેય ગુમ થયાની પોલીસને જાણ કરી હતી. આ ઘટનાના 10 દિવસ બાદ ભાવનગરમાં સરકારી ક્વાર્ટરની બાજુમાં જ વિશાળ ખાડામાંથી તેમની ત્રણેયની લાશ મળી આવી હતી.
સંકળાયેલા મુદ્દાઓ
Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.