બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ઉત્તરાયણ પર કેવો રહેશે પવન? લઈ શકાશે પતંગ ચગાવાની મજા? અંબાલાલ પટેલની આગાહી
Last Updated: 05:08 PM, 10 January 2026
Ambalal Patel Forecast on Uttarayan : દરેક ગુજરાતી જે પર્વની આતુરતાથી રાહ જોઈ રહ્યા હોય છે તે ઉત્તરાયણ પર્વને લઈ હવે એક મોટી અપડેટ સામે આવી છે. વાસ્તવમાં પતંગ ચગાવાની મજા આખું વર્ષ યાદ રહે છે અને સૌથી મહત્વની બાબત હોય છે પવન. આ વર્ષે પતંગ રસીકો માટે સારા સમાચાર છે. જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ઉત્તરાયણ દરમિયાન પવન અનુકૂળ રહેશે તેવી આગાહી કરી છે.
ADVERTISEMENT
'સવારના સમયે ધીમો પછી વધશે' અંબાલાલ પટેલે ઉત્તરાયણ પર પવનની કરી આગાહી #Uttarayan #KiteFestival #AmbalalPatel #WeatherForecast #GujaratWeather #MakarSankranti #KiteLovers #Uttarayan2026 pic.twitter.com/dcgJtk1uQq
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) January 10, 2026
જાણો અંબાલાલ પટેલે શું આગાહી કરી ?
ADVERTISEMENT
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર, ઉત્તરાયણના દિવસે સવારના સમયે પવન થોડો ધીમો રહી શકે છે, પરંતુ જેમ જેમ દિવસ આગળ વધશે તેમ પવનની ગતિમાં વધારો થશે. ખાસ કરીને બપોર પછી પતંગ ચગાવા માટે પવન એકદમ યોગ્ય બનશે, જેથી પતંગપ્રેમીઓ આખો દિવસ આનંદ લઈ શકશે.

ADVERTISEMENT
આ સાથે અંબાલાલ પટેલે આગાહી કરી છે કે, માત્ર ઉત્તરાયણ જ નહીં પરંતુ વાસી ઉત્તરાયણ એટલે કે 15 જાન્યુઆરીના દિવસે પણ પવન સારો રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. એટલે બે દિવસ સુધી પતંગરસિકોને મજા મળશે.
આ પણ વાંચો : 'માયાભાઈ-જયરાજ આહીર અને યોગેશ સાગરની તપાસ કરો' નવનીત બાલધિયાની માગ
ADVERTISEMENT
આ તરફ હવે જો આપણે હવામાનની વાત કરીએ તો ઉત્તર ગુજરાત સહિત રાજ્યના ઘણા વિસ્તારોમાં ઠંડી યથાવત રહેશે. જો કે 18 થી 22 જાન્યુઆરી દરમિયાન હવામાનમાં થોડો ફેરફાર આવી શકે છે. આ સમયગાળા દરમિયાન કેટલાક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે છે. બાદમાં વાદળો દૂર થતાં ફરીથી ઠંડીમાં વધારો થવાની સંભાવના છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.