બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / પ્લેન ક્રેશ દુર્ઘટના બાદ હાલમાં કેવી છે ત્યાંની વર્તમાન પરિસ્થિતિ? જુઓ EXCLUSIVE તસવીરો

photo-story

9 ફોટો ગેલેરી

ભયજનક / પ્લેન ક્રેશ દુર્ઘટના બાદ હાલમાં કેવી છે ત્યાંની વર્તમાન પરિસ્થિતિ? જુઓ EXCLUSIVE તસવીરો

Last Updated: 03:43 PM, 12 July 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

એક પળમાં બધું બળીભસ્મ થઇ ગયું… 260 લોકોએ વિમાન દુર્ઘટનામાં પોતાનો અંતિમ શ્વાસ લીધો, જેમાં સપનાઓ છૂપાયેલો છે. આજેય દુર્ઘટનાના દ્રશ્યો લોકોના હ્રદયમાં જીવંત છે આગ તો કાબૂમાં આવી ગઈ છે, પણ વેદનાની જ્વાળા હજી સળગી રહી છે. જોવો અકસ્માતના એક મહિના પછીની Exclusive તસ્વીરો

1/9

photoStories-logo

1. એર ઇન્ડિયાની વિમાન દુર્ઘટનાનો ચોંકાવનારો રિપોર્ટ બહાર આવ્યો

12 જૂન, 2025ના રોજ અમદાવાદથી લંડન જતી એર ઇન્ડિયાની ફ્લાઇટ AI-171 ટેકઓફ થયા બાદ માત્ર થોડી સેકન્ડમાં જ ક્રેશ થઈ હતી. વિમાન મેડિકલ હોસ્ટેલ સંકુલ પર ક્રેશ થયું હતું, જેમાં 241 મુસાફરો અને ક્રૂ મેમ્બરો સહિત કુલ 260 લોકોના મોત થયા હતા. આ દુર્ઘટનામાં માત્ર એક મુસાફર જ જીવંત રહ્યા હતા . ત્યારે VTV દ્વારા પ્રાપ્ત અકસ્માતના એક મહિના પછીની Exclusive તસ્વીરો સ્થાની હાલત બતાવે છે. આગની રાખ હજી ઠંડી પડી નથી અને કાટમાળના ઢગલા આજેય નજરે પડે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/9

photoStories-logo

2. હજી પણ લોકોમાં ભય

આ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોની યાદે આજુબાજુનું વાતાવરણ પણ શોકમગ્ન છે. જયાં વિમાન તૂટી પડ્યું હતું ત્યાંની દીવાલો આજે પણ ઓલાંકડી ગયેલી દેખાય છે. ધરાશાયી મકાનોમાં રહેતા લોકોએ હજુ સુધી સ્થળ ખાલી નથી કર્યું કારણ કે તંત્ર દ્વારા સંપૂર્ણ સાફસફાઈ હજુ પણ થઇ નથી.

આ તસવીર શેર કરો

logo logo logo

3/9

photoStories-logo

3. હજી પણ કાળઝાળ સ્થિતિ

તસવીરોમાં ખાસ કરીને ત્યાંના એક નહીં પરંતુ અનેક ભાગો સ્પષ્ટપણે દેખાય છે જ્યાં અનેક લોકો જીવ ગુમાવી બેઠા હતા. જગ્યાની અંદરનો ભાગ સંપૂર્ણ રીતે સળગેલો દેખાય છે. મજાનું રસોડું, ટેબલો અને બેડ્સ આજે કાળઝાળ દુર્ઘટનાની યાદગાર બની ગયા છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/9

photoStories-logo

4. માનસિક સારવાર

વિસ્તારના રહેવાસીઓ કહે છે કે, સાંજ પડે કે લોકોના મનમાં ફરીથી તે દુર્ઘટનાના દ્રશ્યો ફરી જીવંત થઈ જાય છે. બાળકો રાતે ડરીને ઉઠી જાય છે અને મોટા ભાગના પરિવારોએ માનસિક સારવાર માટે પણ સંપર્ક કર્યો છે

આ તસવીર શેર કરો

logo logo logo

5/9

photoStories-logo

5. હજી પણ આગની ગંધ મહેસૂસ થાય

તંત્ર દ્વારા હજુ સુધી દુર્ઘટનાગ્રસ્ત મકાનોમાંથી કાટમાળ સંપૂર્ણ રીતે દૂર કરવામાં આવ્યો નથી. ખાસ કરીને એક બિલ્ડિંગ એવું છે જ્યાં આજે પણ અકસ્માત વખતે લાગી ગયેલી આગની અસર સ્પષ્ટપણે દેખાઈ આવે છે. દિવાલો કાળી પડી ગઈ છે, લોખંડના બંધાણો વાંકાઅડકા થઈ ગયા છે અને આગની ગંધ હજી પણ વાતાવરણમાં મહેસૂસ થાય છે. સ્થાનિકો કહે છે કે જ્યારે પણ કોઈ આ મકાન તરફ નજર કરે છે, ત્યારે દુર્ઘટનાના ભયાનક દ્રશ્યો ફરી આંખ સામે આવી જાય છે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/9

photoStories-logo

6. રહેવાસીઓએ અન્ય વિસ્તારોમાં રહેવાનું શરૂ

VTVએ અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં થયેલી ભયાનક વિમાન દુર્ઘટના પછીના દ્રશ્યો કેમેરા સમક્ષ રજૂ કર્યા. આ સ્થળ હજુય ધૂળ, કાટમાળ અને તૂટી ગયેલી ભીતરોથી ઘેરાયેલું છે. મકાનની દિવાલો પર સુકાઈ ગયેલી ધુમાડાની લાઈનો સ્પષ્ટ દેખાય છે, જે દુર્ઘટનાની તીવ્રતા દર્શાવે છે. ઘટનાને મહિનો થઈ ગયો હોવા છતાં પણ લોકોનું ભય દૂર થયું નથી. ઘણા રહેવાસીઓએ અન્ય વિસ્તારોમાં રહેવાનું શરૂ કર્યું છે અને જે મકાન વેચી શક્યા છે તેઓએ વેચાણની પ્રક્રિયા હાથ ધરી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

7/9

photoStories-logo

7. AAIB નો ચોંકાવનારો રિપોર્ટ

ઇન્ડિયન એરક્રાફ્ટ એક્સિડન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો (AAIB) દ્વારા જાહેર કરાયેલા પ્રાથમિક અહેવાલ મુજબ, ટેકઓફ થયા બાદ વિમાનની સ્પીડ 180 નોટ સુધી પહોંચી હતી, પણ અચાનક એન્જિન-1 અને એન્જિન-2 બંનેના ફ્યુઅલ કટ-ઓફ સ્વીચો ‘RUN’થી ‘CUTOFF’ પર ખસી ગયા. જેથી બંને એન્જિનમાં ઇંધણની સપ્લાય બંધ થઈ ગઈ અને વિમાન અચાનક પાવર ગુમાવી બેસ્યું.

આ તસવીર શેર કરો

logo logo logo

8/9

photoStories-logo

8. રિપોર્ટ અુસાર

વિમાનના APU (ઓક્સિલરી પાવર યુનિટ) અને રિમ એયર ટર્બાઇન (RAT) ઓટોસ્ટાર્ટ થયા હોવા છતાં, વિમાનને સ્થિર નહીં કરી શક્યા. રિપોર્ટમાં વધુ જણાવાયું છે કે વિમાનના પાછળના ભાગમાં લાગેલું ફ્લાઈટ ડેટા રેકોર્ડર ભારે નુકસાની પામ્યું છે અને તેનો ડેટા કાઢવા માટે ખાસ તકનિકી ઉપાય લેવાઈ રહ્યો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

9/9

photoStories-logo

9. હજી તપાસ ચાલું

એર ઇન્ડિયાએ અધિકૃત નિવેદનમાં દુઃખ વ્યક્ત કરી છે અને જીવ ગુમવનારના પરિવારોને સહાનુભૂતિ આપી છે અને જણાવ્યું છે કે તેઓ AAIB અને અન્ય તપાસ એજન્સીઓ સાથે સંપૂર્ણ સહયોગ આપશે. એરલાઈન દ્વારા કહેવામાં આવ્યું છે કે, તેઓ તમામ નિયમનકારો સાથે સંપર્કમાં છે અને તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી વધુ ટિપ્પણી નહીં કરે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

AAIB report Air India AI171 Ahmedabad plane crash
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ