બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Gujarat Accident 14 people died in accidents at 4 places in Gujarat today

ગોઝારો મંગળવાર / અકસ્માતથી ગુજરાત કંપી ઉઠ્યું: આજના દિવસમાં કુલ 14 લોકોનાં મૃત્યુ, જાણો ક્યાં કેટલાં મોત

Dinesh

Last Updated: 03:50 PM, 10 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Accident News : રાજ્યમાં ચાર જગ્યાએ અકસ્માતની ઘટના; દાહોદમાં 6, સુરેન્દ્રનગરમાં 5, જામનગરમાં 2, મોરબીમાં 1નું રોડ અકસ્માતમાં મોત

  • રાજ્યમાં ચાર જગ્યાએ અકસ્માત
  • કાળમુખો બન્યો મંગળવાર
  • સુરેન્દ્રનગરમાં અકસ્માતમાં 5ના મૃત્યુ


આજે મંગળવાર કાળમુખો બન્યો. આજે રાજ્યમાં ચાર જગ્યાએ અકસ્માતની ઘટના બની છે. સુરેન્દ્રનગરના લખતર હાઇવે પર અકસ્માતમાં કારમાં સવાર તમામ પાંચ લોકોના મૃત્યુ થઇ ગયા છે. તો દાહોદના ગરબાડા-અલીરાજપુર હાઇવે પર ટ્રક અને રિક્ષા વચ્ચે થેયલાં અકસ્માતમાં છ લોકોના ઘટના સ્થળે મૃત્યુ થયા છે અને એક વ્યક્તિ ઘાયલ થયો છે. જામનગરમાં બે કાર વચ્ચે અકસ્માતમાં દંપતીનું મૃત્યુ થયું છે. અને અન્ય ત્રણ લોકો ઇજાગ્રસ્ત છે. તો મોરબી જિલ્લાના માળિયાના ત્રણ પદયાત્રીઓને ડમ્પર ચાલકે અડફેટે લીધા હતા. હરીપર પાસે થયેલાં અકસ્માતમાં એક યુવકનું મૃત્યુ થયું છે. ત્રણ ઇજાગ્રસ્ત થયો છે. સાતેય યુવક પગપાળા માતાના મઢે દર્શન કરવા જતા હતા ત્યારે તેમના પર ડમ્પર ફરી વળ્યુ હતુ.

જામનગરમાં  2 કાર વચ્ચે ટક્કર 
જામનગરમાં બે કાર વચ્ચે અકસ્માતમાં પતિ-પત્નીનું મોત થયું છે. ચેલાથી ચંદ્રગઢ વચ્ચે બે કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં ત્રણ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. દોઢીયાથી રામપર શ્રાદ્ધ માટે જતા પરિવારને અકસ્માત નડ્યો છે. ઘાયલોને સારવાર માટે જામનગર જીજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. 

મોરબીમાં પદયાત્રી પર ફરી વળ્યુ ડમ્પર 
મોરબી જિલ્લાના માળિયા તાલુકામાં ત્રણ પદયાત્રીને ડમ્પર ચાલકે અડફેટે લીધા હતા. હરીપર પાસે સર્જાયેલ અકસ્માતમાં એક યુવકનુ મૃત્યુ તેમજ ત્રણ લોકો ઇજાગ્રસ્ત થયા છે. વાંકાનેરના સમઢીયાળા-રાતડીયા ગામના રહેવાસી સાતેય યુવકો હતા. 7 યુવકો પગપાળા માતાના મઢે દર્શન કરવા જતા હતા તે સમયે ત્રણને ડમ્પરે અડફેટે લીધા હતાં.

દાહોદના ગરબાડા-અલીરાજપુર હાઇવે પર અકસ્માત
દાહોદના ગરબાડા-અલીરાજપુર હાઇવે પર એક દર્દનાક અને કાળજુંકંપાવી દે તેવી મર્ગ અકસ્માતની ઘટના બની છે. વિગતો મુજબ પાટીયાઝોલ તળાવ પાસે રીક્ષા અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ તરફ આ દર્દનાક અકસ્માતમાં એકસાથે 6 વ્યક્તિના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નિપજ્યાં છે. અન્ય એક વ્યક્તિને ગંભીર ઇજાઓ પહોંચી હોઇ સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. અકસ્માતની જાણ થતાં જ ગરબાડા પોલીસ સ્થળ પર પહોંચી વધુ તપાસ હાથ ધરી છે. 

સુરેન્દ્રનગર અકસ્માતમાં પણ 5 લોકોના મોત 
સુરેન્દ્રનગર-લખતર હાઇવે પર અકસ્માતની ઘટના સામે આવી છે. વિગતો મુજબ ઝમર ગામ પાસે ટ્રક અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં ઘટના સ્થળે જ કારમાં સવાર 5 વ્યક્તિના મોત થયા હતા. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ