બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / રાજકોટમાં માતાજીના માંડવામાં 6 પશુઓની બલિ ચઢાવાઈ, બીમાર બાળકનું સાજું કરવા માનતા, 9 પશુઓ બચાવાયાં
Last Updated: 05:01 PM, 24 November 2025
આધુનિક યુગમાં પણ અંધશ્રદ્ધા લોકોના મનમાં ઘર કરી ગઈ છે. રાજકોટમાં અંધશ્રદ્ધાનો એક એવો કાળજું કંપાવી દેનારો મામલો સામે આવ્યો છે જેને કારણે રાજ્યભરમાં ભય અને આઘતનું લખલખું વ્યાપી ગયું હતું. ચૌહાણ પરિવાર દ્વારા નવરંગ માંડવાનું આયોજન કરાયું હતુ.
ADVERTISEMENT
વિહત માતાના માંડવામાં 6 બોકડાં વધેરાયા
શહેરના ગ્રીનલેન્ડ ચોકડી નજીક ચૌહાણ પરિવાર દ્વારા વિહત માતાજીના માંડવાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ધાર્મિક કાર્યક્રમની આડમાં 6 બોકડા(બકરો) વધેરી નાખવામાં આવ્યાં હતા.
ADVERTISEMENT
જીવ દયા પ્રેમીઓએ રાતે 3 વાગ્યે રેડ પાડી
નવરંગ માંડવામાં પશુ બલિના સમાચાર મળતાં જીવ દયા પ્રેમીઓએ રેડ પાડી હતી. રાત્રે ત્રણ વાગ્યે જીવ દયા પ્રેમીઓ સ્થળ પર પહોંચ્યા હતા. જ્યાં છ જેટલા પશુઓની બલી ચડાવી દેવામાં આવી હતી. જ્યારે અન્ય નવ જેટલા પશુઓની બલિ ચડાવાની બાકી હતી. પરંતુ પોલીસ અને જીવદયા પ્રેમીઓની રેડ પડતા આયોજકો સ્થળ છોડીને ફરાર થઈ ગયા હતા.
ADVERTISEMENT
બીમાર બાળકને સાજુ કરવા પશુબલિ
એક જીવ દયા પ્રેમીએ એવો આરોપ મૂક્યો હતો કે બીમાર બાળકને સાજુ કરવા માટે આયોજકો દ્વારા માનતા રાખવામાં આવી હતી.
ADVERTISEMENT
શું બોલ્યાં વિજ્ઞાન જાથાના ચેરમેન જયંત પંડ્યા
ADVERTISEMENT
વિજ્ઞાન જાથાના ચેરમેન જયંત પંડ્યાએ એવું કહ્યું કે આજના જમાનાની ખુબ જ દુઃખદ ઘટના કહેવાય. ઘોર કળયુગ ચાલી રહ્યો છે. શહેરમાં બે મહિનામા પશુ બલીની બીજી ઘટના ઘટી છે. બે મહિના પહેલા નવ પશુની બલી ચડાવાઇ હતી.
પશુબલી ચડાવવા અંગે ફરિયાદ નોંધાઈ
ADVERTISEMENT
માતાજીના માંડવામાં પશુઓની બલીના મામલે થોરાળા પોલીસે ગુનો નોંધી શખ્સોની શોધખોળ શરૂ કરી. રેડ પડતાં જ આરોપીઓ ફરાર થઈ ગયા હતા.
સંકળાયેલા મુદ્દાઓ
Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.