બ્રેકિંગ ન્યુઝ
ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ
સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ
રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો
અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ
લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા
T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં
જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર
પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ
5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો
T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક
VTV / Politics / ghulam nabi azad after resignation from congress said i have been forced to leave party
Pravin
Last Updated: 01:10 PM, 29 August 2022
કોંગ્રેસ છોડ્યા બાદ ગુલામ નબી આઝાદ ફરી એક વાર મીડિયા સામે આવ્યા હતા. આ દરમિયાન તેમણે તેમના પર લાગેલા આરોપોનો જવાબ આપ્યો હતો. તેમણે કહ્યું કે, ઘરવાળાઓએ ઘર છોડવા માટે બળજબરીપૂર્વક મજબૂર કર્યો. જ્યાં ઘરવાળાને લાગે છે આ માણસ ન જોઈએ તો, હોંશિયારી ખુદ ઘર છોડી દેવામાં છે. તો વળી ગુલામ નબી આઝાદે ભાજપની સાથે સાંઠગાંઠને લઈને પણ જવાબ આપ્યો હતો. તેમણે કહ્યું કે, જે શખ્સ (રાહુલ ગાંધી) પોતાની સ્પિચ ખતમ કર્યા બાદ સદનમાં પીએમના ગળે લાગે, તો બતાવો કે તે મળેલા છે કે હું મળેલો છું ?
#WATCH | Ghulam Nabi Azad says, "I didn't sleep for 6 days before and after writing the letter (G23) because we gave blood for the party. People there today are useless...It's saddening that Congress has such spokesmen who don't even know about us..." pic.twitter.com/3b5C29zSDo
— ANI (@ANI) August 29, 2022
પીએમ મોદીના કર્યા વખાણ
આ દરમિયાન મીડિયા સાથે વાત કરતા તેમણે પીએમ મોદીના વખાણ પણ કર્યા હતા. તેમણે પીએમ મોદીની એક ઘટનાની વાત કરતા જણાવ્યું હતું કે, હું તો પીએમ મોદીને ક્રૂર વ્યક્તિ સમજતો હતો, પણ જ્યારે જમ્મુ કાશ્મીરમાં ગુજરાતની બસ પર હુમલો થયો હતો, તે સમયે હું સીએમ હતો, અને ગુજરાતની બસ પર હુમલો થયો હતો. હુમલાને લઈને તત્કાલિન સીએમ નરેન્દ્ર મોદીનો મારા પર ફોન આવ્યો હતો, તે સમયે હું ખૂબ રડ્યો હતો, સાથે જ તેઓ પણ આતંકી ઘટનાને યાદ કરીને રડ્યા હતા.
#WATCH | "I thought PM Modi to be a crude man but he showed humanity," says Ghulam Nabi Azad pic.twitter.com/LhVHopvdhe
— ANI (@ANI) August 29, 2022
નબીએ પાર્ટી પર પ્રહાર કરતા કહ્યું કે, કોંગ્રેસમાં ફક્ત ચાપલૂસી કરનારા લોકો વધ્યા છે. તેમમે મોદીને લઈને કહ્યું કે, હું મોદીને ક્રૂર સમજતો હતો, પણ તેમને માણસાઈ દેખાડી. ગુલામ નબી આઝાદે પાર્ટી છોડ્યા બાદ આરોપ લગાવ્યો હતો કે, તેમનું રિમોટ કંટ્રોલ ભાજપના હાથમાં છે. આઝાદે તેના પર પણ નિવેદન આપ્યું છે. તેમણે કહ્યુ કે, ઘરવાળાઓએ ઘર છોડવા માટે મજબૂર કર્યો. જ્યાં ઘરવાળાઓને લાગે કે, આ માણસ ન જોઈએ તો, તો હોંશિયારી ખુદ ઘર છોડવામાં છે.
#WATCH | "My respect for Sonia Gandhi is same as 30 yrs back, respect for Rahul Gandhi is same as that befitting Indira Gandhi's family,Rajiv-Sonia Gandhi's son. Personally,I pray for his long life. We tried to make him a successful leader but he's not interested..," says GN Azad pic.twitter.com/7YqVuGRy5h
— ANI (@ANI) August 29, 2022
ગુલામ નબી આઝાદે કોંગ્રેસ છોડ્યા બાદ ફરી એક વાર કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે, રાહુલ ગાંધીમાં રાજકીય કૌશલ્યની કમી છે અને રાજકારણમાં એન્ટ્રી બાદ જ કોંગ્રેસની આવી સ્થિતિ થઈ છે. તેમણે કહ્યું કે, આજના સમયમાં કોંગ્રેસ વર્કિંગ કમિટિનો કોઈ અર્થ નથી. તેમણે કહ્યું કે, આજે કોંગ્રેસ વર્કિંગ કમિટિ બેકાર છે. સોનિયા ગાંધીના સમયમાં ફક્ત CWC થતી હતી. પણ છેલ્લા 10 વર્ષમાં તેના 25 સભ્યો થઈ ગયા અને 50 વિશેષ। આમંત્રિત સભ્યો પણ હોય છે. તેમણે ગાંધી પરિવાર સાથેના પોતાના સંબંધોને યાદ કરતા કહ્યું કે, ઈંદિરા ગાંધી, રાજીવ ગાંધી અને ,સોનિયા ગાંધી સૌને સાથે લઈને અને સૌની સહમતીથી રાજનીતિ કરવામાં માનતા હતા, પણ રાહુલ ગાંધી સાથે એવું નથી થતું.
#WATCH | Delhi: "I have been forced to leave my home by my own," says Ghulam Nabi Azad pic.twitter.com/i0UK80RahL
— ANI (@ANI) August 29, 2022
વરિષ્ઠ નેતાએ કહ્યું કે, સોનિયા ગાંધીએ 1998થી 2004 દરમિયાન તમામને સસાથે લઈને આગળ વધીને કામ કર્યું છે. તે મોટા નેતાઓની સલાહ લેતા હતા. તેઓ તેમના પર નિર્ભર હતા અને તેમના ભલામણોનો સ્વિકાર કરતા હતા. તેમણે મને 8 રાજ્યોની જવાબદારી આપી હતી અને મેં 7 રાજ્યમાં જીત અપાવી હતી. તેઓ ક્યારેય દખલ નહોતા આપતા, પણ જ્યારે 2004 બાદથી રાહુલની એન્ટ્રી થઈ છે, આ વ્યવસ્થા સમાપ્ત થઈ ગઈ છે. સોનિયા ગાંધીની નિર્ભરતા રાહુલ ગાંધી પર વધી ગઈ છે. પણ રાહુલ ગાંધી પાસે કોઈ રાજકીય કૌશલ નથી, સોનિયા ગાંધી ઈચ્છે છે કે, સૌ કોઈ રાહુલ ગાંધી સાથે તાલમેલ બનાવીને કામ લે.
#WATCH | On asked if he'll go with BJP if needed after forming a new party, GN Azad says, "Congress mein anpadhon ki jamaat hai, especially those sitting for clerical work...Those who know J&K, I can't increase even one vote in BJP's constituencies, they can't do it in mine..." pic.twitter.com/FotLHYKrRN
— ANI (@ANI) August 29, 2022
કોંગ્રેસ તરફથી પોતાની જાત પર થયેલા પ્રહાર પર જવાબ આપતા ગુલામ નબીએ કહ્યું કે, નરેન્દ્ર મોદી તો એક બહાનુ છે, આ લોકોને મારી સાથે વાંધો હતો. જ્યાર જી 23 તરફથ લેટર લખ્યો હતો, તેઓ નથી ઈચ્છતા કે, કોઈ પણ ક્યારેય તેમને કંઈ લખે અથવા સવાલ કરે. કોંગ્રેસની કેટલીય બેઠકો થઈ. પણ મારી કોઈ સલાહનો સ્વિકાર થયો નહીં. એટલુ જ નહીં પાર્ટી છોડવાનું ઠીકરુ તેમણે કોંગ્રેસ પર ફોડ્યું. તેમણે કહ્યું કે, મને મારુ ઘર છોડવા પર મજબૂર કર્યો.
#WATCH | Ghulam Nabi Azad takes jibe at Rahul Gandhi's hug to PM Modi in Parliament, says "It's not me who is entangled with Modi, it's him." pic.twitter.com/E7K4a0uBMt
— ANI (@ANI) August 29, 2022
અહીં ઉલ્લેખનિય છે કે, ગુલામ નબી આઝાદે ગત અઠવાડીયે કોંગ્રેસ છોડતા સોનિયા ગાંધીને 5 પાનાનો લેટર લખ્યો હતો. તેમા કહેવાયુ હતું કે, કોંગ્રેસ એક સારી વ્યવસ્થા હતી. સોનિયા ગાંધીના સમયમાં પણ તે યથાવત હતી, પણ રાહુલ ગાંધી આવતા જ બધુ ધ્વસ્ત થઈ ગયું. આ ઉપરાંત 2014માં કોંગ્રેસની હાર માટે રાહુલ ગાંધીના વલણને જવાબદાર ઠેરવતા કહ્યુ હતું કે, તેમણે કેબિનેટ તરફથી પસાર અધ્યાદેશ ફાડી નાખ્યો હતો. તેનાથી પ્રધાનમંત્રી અને સરકારની ગરિમા જ નબળી પડી ગઈ હતી.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
IPL 2024 / ઈશાન કિશન પર BCCIની કાર્યવાહી, IPL આચાર સંહિતાનું ઉલ્લંઘન કરવા બદલ મળી સજા
Mumbai Indians
ટિપ્પણી / 'ઘમાસાણ શાનું હતું', સી.આર.પાટીલે ભાજપના કાર્યકરોને આપી કડક ચેતવણી, સાબરકાંઠાનો મુદ્દો
Election 2024
લોકસભા ચૂંટણી 2024 / 'આ વખતે બાપુ બચ્યાં હતા, તો...', પરેશ ધાનાણીના વિવાદિત નિવેદન પર CR પાટીલે કહ્યું 'ગુજરાતમાં હાર દેખાઇ રહી છે એટલે...'
Rajkot Lok Sabha seat
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
IPL 2024 / ઈશાન કિશન પર BCCIની કાર્યવાહી, IPL આચાર સંહિતાનું ઉલ્લંઘન કરવા બદલ મળી સજા
Mumbai Indians
ટિપ્પણી / 'ઘમાસાણ શાનું હતું', સી.આર.પાટીલે ભાજપના કાર્યકરોને આપી કડક ચેતવણી, સાબરકાંઠાનો મુદ્દો
Election 2024
લોકસભા ચૂંટણી 2024 / 'આ વખતે બાપુ બચ્યાં હતા, તો...', પરેશ ધાનાણીના વિવાદિત નિવેદન પર CR પાટીલે કહ્યું 'ગુજરાતમાં હાર દેખાઇ રહી છે એટલે...'
Rajkot Lok Sabha seat
રાશિ / 1 વર્ષ બાદ બન્યો ગજકેસરી યોગ! આ 3 રાશિના લોકોને મળશે દુનિયાના એશો આરામ
Laxmi Narayan Yog