વડોદરામાંથી રેલ્વેમાં નોકરી આપવાના બહાને છેતરપિંડી કરતી ટોળકીને પોલીસે ઝડપી પાડી છે. આ ટોળકીએ 176 લોકો સાથે છેતરપિંડી કરી છે. આરોપીઓ રેલવે ભરતી બોર્ડના અધિકારીઓ બની કરોડો રૂપિયા લૂંટ્યા હતા. આ મામલો પોલીસે મુખ્ય સૂત્રધાર તુષાર પુરોહિત સહિત 5 આરોપીની ધરપકડ કરી છે. મળતી માહિતી મુજબ છેલ્લા ઘણા સમયથી વાઘોડિયા રોડ પર શ્રીજી એજ્યુકેશન નામની ઓફિસ ખોલવામાં આવી હતી. આ ઓફિસમાં લોકોને નોકરી આપવાના બહાને છેતરપિંડી કરવામાં આવતી હતી. આ શખ્સો રેલવે ભરતી બોર્ડના ફોર્મ ભરાવી પરીક્ષા પણ લેતા હતા. આ શખ્સોએ ઉમેદવારો પાસેથી 5 હજારથી 60 હજાર સુધી રૂપિયા પણ પડાવ્યા હતા. પોલીસે 5 શખ્સોને ઝડપીને વધુ કાર્યવાહી હાથધરી છે.