બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ગુજરાત સરકારની ભરતીના નિયમોમાં મોટા ફેરફાર, પરીક્ષા આપતા પહેલા વાંચી લેજો
Last Updated: 09:00 PM, 29 August 2025
વન અને પર્યાવરણ વિભાગ હસ્તક આવતી વનપાલની ભરતીના નિયમોમાં ફેરફાર કરાયો છે. વર્ગ ત્રણની વનપાલની ભરતીમાં પહેલા લેખિત પરિક્ષા લેવાશે. અત્યાર સુધી શારીરિક કસોટી પહેલા લેવાતી હતી, પરંતુ હવે તેમાં પરિવર્તન કરવામાં આવ્યું છે. લેખિત પરિક્ષા પાસ કરનાર ઉમેદવાર ફિઝિકલ ટેસ્ટ માટે લાયક ગણાશે.
ADVERTISEMENT
વન વિભાગે વિસ્તૃત નિયમો સાથે નોટિફિકેશન બહાર પાડ્યું છે. ભરતીમાં પરિણામ બાદ 20 ટકા ઉમેદવારોનું વેઈટિંગ લિસ્ટ ઓપરેટ થશે. આ વેઈટિંગ લિસ્ટ જરૂર પડ્યે ઓપરેટ કરવામાં આવશે, જેનાથી પ્રતીક્ષા યાદીમાં રહેલા ઉમેદવારોને તક મળી શકશે. આ પગલાથી ભરતી પ્રક્રિયા વધુ કાર્યક્ષમ બનશે અને ખાલી જગ્યાઓ ભરાઈ શકશે. વન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલું આ નોટિફિકેશન ભરતી પ્રક્રિયાને વધુ સુવ્યવસ્થિત અને પારદર્શક બનાવશે.
આ પણ વાંચોઃ ગુજરાતમાં ગ્રીન એનર્જી ખરીદવી ફરજિયાત, ગુજરાત વિજળી નિયામક આયોગનો આદેશ
ADVERTISEMENT
નવા નિયમ પ્રમાણે, વનપાલ બનવા ઈચ્છતા ઉમેદવારોએ પહેલા લેખિત પરીક્ષામાં ઉત્તીર્ણ થવું ફરજિયાત છે. આ ફેરફારથી ભરતી પ્રક્રિયા વધુ પારદર્શક અને મેરિટ આધારિત બનશે તેવી અપેક્ષા છે. વન વિભાગે આ નિર્ણય લેતા ઉમેદવારોની શૈક્ષણિક યોગ્યતા અને જ્ઞાનને પ્રાધાન્ય આપ્યું છે, જેથી વનપાલ તરીકે વધુ સક્ષમ અને જાણકાર ઉમેદવારોની પસંદગી થઈ શકે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.