ન્યૂઝ અપડેટ્સ
ADVERTISEMENT

ADVERTISEMENT
નેચર કમ્યુનિકેશન્સ જર્નલમાં પબ્લિશ સંશોધન મુજબ જે લોકો ફલેવોનોઇડવાળો (Flavonoids rich foods) શાકાહારી ખોરાક લે છે તેમને કેન્સર અને હાર્ટ ડિસીઝનો ખતરો બહુ ઓછો હોય છે.સંશોધક ડો.નિકોલા બોન્ડોનો કહે છે કે આવો ખોરાક લેતા લોકોનું ગંભીર બિમારીથી મૃત્યુ થતું નથી. સૌથી મહત્વની બાબત એ છે કે સિગારેટ અને દારૂનાં વ્યસનીઓને ફલેવોનોઇડયુકત ખોરાક ગંભીર બિમારી સામે રક્ષણ આપી શકે છે.
સંશોધકોએ આ માટે 53 હજાર જેટલા લોકોના ખાનપાનની આદતો તથા તેમને થયેલી બિમારીઓનો અભ્યાસ કરીને આ તારણ કાઢ્યું હતું. વારસાગત એટેલ કે જીનેટીકસનાં કારણે થતી બિમારીને પણ આપણી આદતો ઘણાખરા અંશે ટાળી શકે છે. સંશોધકોએ જોયું કે જેઓ ફ્લેવોનોઇડયુકત આહાર વધુ લેનારા લોકોમાં કેન્સર અને હાર્ટની બિમારીનું પ્રમાણ સાવ ઓછું હતું.
ADVERTISEMENT

ફ્લેવનોઇડ વિવિધ વનસ્પતિમાં જોવા મળતા કેમિકલ્સ છે.ફળ,શાકભાજી,અનાજ,ગ્રીન ટી વગેરેમાં તે સારી માત્રામાં હોય છે. ફલેવનોઇડ આરોગ્ય માટે અત્યંત લાભદાયી છે પરંતુ તે કઇ રીતે શરીરને ગંભીર બિમારીઓથી બચાવે છે તેના પર હજુ ઉંડાણપુર્વકનાં સંશોધન થવાના બાકી છે. હેલ્ધી રહેવા માટે દરરોજનાં ખોરાકમાં ફલેવનોઇડની કેટલી માત્રા હોવી જોઇએ તે હજુ સ્પષ્ટ નથી. સંશોધકો કહે છે કે આવા સંજોગોમાં દરેક વ્યકિતએ રોજિંદા ખોરાકમાં શાકભાજી અને ફળ વધારે ખાવા જોઇએ.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો