બ્રેકિંગ ન્યુઝ
ADVERTISEMENT
જો તમે પણ ખેડૂત છો તો તમને મોદી સરકારની ખાસ યોજનામાં હવે 6000 રૂપિયાના બદલે 36000 રૂપિયાનો ફાયદો થઈ શકે છે. મોદી સરકારે ખેડૂતોની આવક વધારવાના હેતુથી અનેક યોજનાઓ શરૂ કરી છે. અહીં વાત થઈ રહી છે પીએમ કિસાન સમ્માન નિધિની. આ યોજના સરકારની એવી યોજના છે જેમાં ખેડૂતોના ખાતામાં સીધા રૂપિયા જમા કરવામાં આવે છે. દરેક ખેડૂતના એકાઉન્ટમાં વર્ષે 6000 રૂપિયા ટ્રાન્સફર કરાય છે. સરકાર આ રકમને 3 ભાગમાં ટ્રાન્સફર કરે છે. હવે આ યોજનાનો લાભ લઈ રહેલા ખેડૂતો 36000 રૂપિયાનો લાભ લઈ શકે છે.એટલે કે તમને 3 મહિનામાં 2000 રૂપિયા મળશે અને સાથે યોજનાની મદદથી તમને દર મહિને 3000 રૂપિયા પણ મળી શકે છે.

ADVERTISEMENT
જાણો કેવી રીતે મળશે 36000 રૂપિયા
PM kisan Man dhan Yojnaના આધારે ખેડૂતોને પેન્શન આપવામાં આવે છે. આ યોજનાના આઘારે ખેડૂતની ઉંમર 60 વર્ષ થયા બાદ દર મહિને 3000 રૂપિયા પેન્શન મળે છે. આ યોજનાનો લાભ લેવા માટે કોઈ ડોક્યુમેન્ટની જરૂર રહેતી નથી.
ADVERTISEMENT
જાણો કોણ લઈ શકે છે આ યોજનાનો લાભ
ADVERTISEMENT

ADVERTISEMENT
જાણો ક્યારે ક્યારે આવે છે હપ્તો
મોદી સરકારે 24 ફેબ્રુઆરી 2019ના રોજ PM kisan Samman Nidhi Yojna શરૂ કરી હતી. આ સ્કીમના આધારે સરકાર નાના ખેડૂતોને દર વર્ષે 6000 રૂપિયા 3 ભાગમાં આપે છે. પહેલો હપ્તો 1 ડિસેમ્બરથી 31 માર્ચની વચ્ચે, બીજો હપ્તો 1 એપ્રિલથી 31 જુલાઈની વચ્ચે અને ત્રીજો હપ્તો 1 ઓગસ્ટથી 30 નવેમ્બરની વચ્ચે જમા કરાય છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.