બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Farmers of this district of Gujarat will face a big blow
Last Updated: 03:12 PM, 24 February 2024
સુરેન્દ્રનગર જીલ્લામાં 15 માર્ચ બાદ કેનાલોમાં નર્મદાનું પાણી બંધ કરાશે. કેનાલોમાં સિંચાઈનું પાણી બંધ કરાતા ખેડૂતો ઉનાળું ખેતી કરી શકશે નહી. કેનાલોમાંથી પાણી ખેંચવાના મશીન અને બકનળીઓ હટાવી લેવા સૂચના આપવામાં આવી છે. નર્મદા વિભાગનાં નિર્ણયથી સુરેન્દ્રનગર જીલ્લાનાં ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે.
ADVERTISEMENT

કેનાલમાં સિંચાઈ માટે પાણી છોડવા ખેડૂતોની માગ
ઉનાળો શરૂ થતાની સાથે જ કેનાલમાં પાણી બંધ કરવાથી ઉનાળુ તલ, લીલાા ઘાસચારાની ખેતી કરી શકે નહી. ઉનાળુ વાવેતર કરવા કેનાલમાં સિંચાઈ માટે પાણી છોડવા ખેડૂતોની માંગ છે.
ADVERTISEMENT

ADVERTISEMENT
સુરેન્દ્રનગર, વઢવાણનાં ખેડૂતોની માંગ છે કે પાણી ચાલુ રાખો
આ બાબતે વઢવાણ ગામનાં ગૌતમભાઈ પટેલે જણાવ્યું હતું કે, 15 માર્ચે પરિપત્ર જાહેર કર્યો છે કે તા. 15 થી કેનાલ બંધ કરવાની. ત્યારે હાલ ખેડૂતોએ તલનું વાવતેર ચાલુ કર્યું છે. અમારી માંગ એવી છે કે, પાણી ચાલુ રાખો અને ખેડૂતને બે મહિના માટે પાણી આપો. જેથી તલની નિપજ ખેડૂતો લઈ શકે. અમારી માંગ વઢવાણ, સુરેન્દ્રનગરનાં ખેડૂતોની માંગ એવી છે કે પાણી ચાલુ રાખો.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.