સિદ્ધાર્થ શુક્લાની એક ફેન તેમના મૃત્યુના સમાચાર સાંભળીને આંશિક કોમામાં પહોંચી ગઈ છે. અભિનેતાનું ગુરુવારે હાર્ટ એટેકથી નિધન થયું હતું.
સિદ્ધાર્થના મિત્ર ડો. જયેશ ઠાકરે ટ્વિટ કરીને આપી માહિતી
જયેશે ફેન્સને પોતાની સંભાળ રાખવા માટે આપી સલાહ
શુક્રવારે સિદ્ધાર્થ શુક્લાના કરવામાં આવ્યા અંતિમ સંસ્કાર
બોલિવૂડ અભિનેતા અને બિગ બોસ 13 વિજેતા સિદ્ધાર્થ શુક્લાના નિધન બાદ ફિલ્મ જગતમાં શોકમાં છે. સિદ્ધાર્થના લાખો ફેન્સ છે. ફેન્સ તેમના મૃત્યુને ખૂબ જ આશ્ચર્યજનક ગણાવી રહ્યા છે. સિદ્ધાર્થના એક મિત્ર ડો.જયેશ ઠાકરે ખુલાસો કર્યો કે તેના મૃત્યુના સમાચાર સાંભળીને એક સિડનાઝ ફેન બાથરૂમમાં બેભાન હાલતમાં મળી આવી હતી. તેણે ટ્વિટ કરીને ચાહકને પોતાની સંભાળ રાખવાની સલાહ આપી હતી.
ડો. જયેશ ઠાકરે ટ્વિટ કરીને આપી માહિતી
જયેશે તેના ટ્વિટર હેન્ડલ પર ફોટો શેર કર્યો અને લખ્યું કે "મિત્રો, તમારા પરિવાર અને મિત્રો સાથે વાત કરો, એકલા ન રહો, સિડનાજના એક ચાહકને ગત રાત્રે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો કારણ કે તે વોશરૂમમાં બેભાન અવસ્થામાં જોવા મળી હતી.... કૃપા કરીને તમારી સંભાળ રાખો ... તેના માટે પ્રાર્થના કરો ... !! "
જયેશે ફેન્સને પોતાની સંભાળ રાખવા માટે આપી સલાહ
ત્યારબાદ ડોક્ટરે અન્ય એક ટ્વીટમાં ખુલાસો કર્યો કે "સિદ્ધાર્થનો ફેન આંશિક કોમામાં ગયો છે. ડોક્ટરે કહ્યું કે તે વધારે પડતા તણાવને કારણે આંશિક કોમામાં છે, તેનું શરીર કોઈ પણ પ્રતિક્રિયા આપી રહ્યું નથી, હું ઈચ્છું છું કે દરેક ફેન અને સમર્થક શાંત રહે, વધારે વિચારવાનું બંધ કરે અને પોતાના મગજને વિચલિત ન કરે, હું જાણું છું કે તે સહેલું નથી."
શુક્રવારે સિદ્ધાર્થ શુક્લાના કરવામાં આવ્યા અંતિમ સંસ્કાર
સૂત્રો અનુસાર, સિદ્ધાર્થ શુક્લાનું ગુરુવારે હાર્ટ એટેકને કારણે 40 વર્ષની વયે નિધન થયું હતું. તેના પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં મૃત્યુ અંગે કોઈ આશંકા વ્યક્ત કરવામાં આવી નથી. સિદ્ધાર્થની અંતિમ યાત્રા શુક્રવારે મુંબઈમાં સ્થિત તેના ઘરથી શરૂ થઈ હતી. ભારે વરસાદની વચ્ચે ઓશિવારા સ્મશાનગૃહમાં સિદ્ધાર્થ શુક્લાના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. તેમના અંતિમ સંસ્કારમાં નજીકના મિત્રો અને સંબંધિઓ પહોંચ્યા હતા. અભિનેતા જય ભાનુશાલી અને ગુરમીત ચૌધરી પણ સ્મશાન ઘાટ પહોંચી તેમણે અંતિમ વિદાય આપી હતી.