ગુજરાતમાં શાળાઓ ખુલવા અંગે શિક્ષણંત્રીએ અગત્યનું નિવેદન આપ્યું હતુ, તેમણે જણાવ્યું હતુ કે, ક્યારેક ને ક્યારેક તો શાળાઓ ખોલવી જ પડશેને?
શાળા શરૂ કરવાને લઇ બાલ્યાં શિક્ષણમંત્રી
'ક્યારેને ક્યારે તો શાળા શરૂ કરવી પડશે'
'સરકાર એકલા હાથે નિર્ણય લઇ શકે નહીં'
ગુજરાતમાં શાળા કોલેજોનું પહેલુ સત્ર ખુલ્યુ જ નથી. એટલે માસ પ્રમોશનથી લઈને ઘણા બધા સવાલો માતા-પીતા અને વિદ્યાર્થીઓને સતાવી રહ્યા છે વળી કેન્દ્રએ શાળા કોલેજો મામલે રાજ્ય સરકારને છુટ આપી છે અને શાળા કોલેજો ખોલવી કે નહીં તે અંગે સંપૂર્ણ નિર્ણય લેવાની સત્તા રાજ્ય સરકારને આપી છે. ત્યારે આજે શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ આજે શાળાઓ મામલે એક મોટુ નિવેદન આપ્યું હતુ.
રાજ્યમાં શાળા શરૂ કરવાને લઇ ભૂપેન્દ્રસિંહ ચુડાસમાનું નિવેદન સામે આવ્યું છે. તેમણે જણાવ્યું હતુ કે, શાળા બંધ થયાને 6 મહિના થયા છે. ક્યારેને ક્યારે તો શાળા શરૂ કરવી પડશે. સરકાર એકલા હાથે નિર્ણય લઇ શકે નહીં. તમામ લોકો સાથે વાર્તાલાપ કર્યો છે. 'બધાજ શિક્ષણવિદો પાસેથી અભિપ્રાય મેળવી રહ્યાં છીએ. આરોગ્ય વિભાગનો અભિપ્રાય લઈ રહ્યાં છીએ.
ગાંધીનગર: શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચૂડાસમાંનુ નિવેદન, શાળા બંધ થયા 6 મહિના થયા, ક્યારે ને ક્યારે શાળા શરૂ કરવી પડશે, સરકાર એકલા હાથે નિર્ણય ન લઈ શકે, બધાજ શિક્ષણવિદો પાસેથી અભિપ્રાય મેળવી રહ્યા છીએ, આરોગ્ય વિભાગનો અભિપ્રાય લઈ રહ્યા છે@imBhupendrasinh@CMOGuj