બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / Earthquake in Ahmedabad and other areas
સમગ્ર ગુજરાતમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 5.5 આંકવામાં આવી છે. ભૂકંપ આવતા જ લોકોમાં ડરનો માહોલ બન્યો અને લોકો ઘરો અને ઓફિસથી બહાર નિકળી ગયા. ભૂકંપનું કેન્દ્ર બિંદુ કચ્છના ભચાઉ નજીક 10 કિલોમીટર અંદર રહ્યું છે. અમદાવાદ, રાજકોટ અને કચ્છ સહિતના અનેક વિસ્તારોમાં ભૂકંપના કારણે લોકો પોતાના ઘરોમાં ધ્રૂજારી અનુભવી. જેના કારણે લોકો ડરી ગયા. તેઓ તાત્કાલિક દોડીને ઘરની બહાર આવી ગયા.
માહિતી અનુસાર અમદાવાદમાં બોડકદેવ, વૈષ્ણોદેવી, ઘાટલોડિયા, ચાંદલોડિયા, રાણીપ જેવા વિસ્તારોમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. કોરોના સંકટ અને હવે બીજી બાજુ ભૂકંપના આંચકાના અનુભવથી અમદાવાદીઓના મનમાં વધુ ગભરાટ ફેલાઇ ગયો હતો. અમદાવાદની ધરા ધ્રૂજતાં લોકોમાં 2001ની યાદો તાજી થઈ ગઈ હતી.
ADVERTISEMENT
An earthquake of magnitude 5.8 struck 122 km north-northwest (NNW) of Rajkot, Gujarat at 8:13 pm today: National Center for Seismology (NCS) pic.twitter.com/xHBfnim0OY
— ANI (@ANI) June 14, 2020
ADVERTISEMENT
આ સિવાય જામનગર, જૂનાગઢ અને રાજકોટમાં પણ ભૂકંપનો જોરદાર આંચકો અનુભવાયો હતો અને બહુમાળી બિલ્ડિંગો ધ્રુજ્યા હતા.જ્યારે સુરેન્દ્રનગર, હળવદ, પાટણમાં પણ ભૂકંપનો આંચકો આવ્યો છે. રાજકોટથી નોર્થ-નોર્થ વેસ્ટ 122 કિમી ભૂકંપનું કેન્દ્ર બિંદુ અને તીવ્રતા 5.5ની નોંધાઈછે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.