બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

VTV / Due to this Balasore train accident, Railway Minister made a big statement

ઓડિશા ટ્રેન દુર્ઘટના / આ કારણે થઈ બાલાસોર રેલ દુર્ઘટના: રેલ મંત્રીએ પહેલીવાર અકસ્માતના કારણને લઈને આપ્યું મોટું નિવેદન

Priyakant

Last Updated: 01:33 PM, 4 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Odisha Train Accident News: રેલ્વે મંત્રીએ કહ્યું કે, અકસ્માતનું મૂળ કારણ શોધી લેવામાં આવ્યું, PM મોદીએ ગઈકાલે સ્થળનું નિરીક્ષણ કર્યું હતું, અમે આજે ટ્રેક પુનઃસ્થાપિત કરવાનો પ્રયાસ કરીશું

  • ઓડિશા ટ્રેન દુર્ઘટના બાદ હવે રેલવે મંત્રીનું મોટું નિવેદન 
  • અમે આજે ટ્રેક પુનઃસ્થાપિત કરવાનો પ્રયાસ કરીશું: રેલમંત્રી 
  • ઈલેક્ટ્રોનિક ઈન્ટરલોકિંગમાં ફેરફારને કારણે આવું બન્યું: રેલમંત્રી

ઓડિશા ટ્રેન દુર્ઘટના બાદ હવે રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે મોટું નિવેદન આપ્યું છે. વાત જાણે એમ છે કે, રેલ્વે મંત્રીએ કહ્યું છે કે, અકસ્માતનું મૂળ કારણ શોધી લેવામાં આવ્યું છે. PM મોદીએ ગઈકાલે સ્થળનું નિરીક્ષણ કર્યું હતું. અમે આજે ટ્રેક પુનઃસ્થાપિત કરવાનો પ્રયાસ કરીશું. તમામ મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા છે. અમારું લક્ષ્ય બુધવાર (7 જૂન) સવાર સુધીમાં ટ્રેકને પુનઃસ્થાપિત કરવાનું અને ટ્રેનોની અવરજવર શરૂ કરવાનું છે. જેથી આ ટ્રેક પર ફરીથી ટ્રેનો દોડવા લાગી શકે.

રેલવે અશ્વિની વૈષ્ણવે કહ્યું કે, રેલવે સેફ્ટી કમિશનરે આ મામલે તપાસ કરી છે અને તપાસ રિપોર્ટ આવવા દીધો છે પરંતુ અમે ઘટનાનું કારણ અને તેના માટે જવાબદાર લોકોની ઓળખ કરી લીધી છે. ઈલેક્ટ્રોનિક ઈન્ટરલોકિંગમાં ફેરફારને કારણે આવું બન્યું છે. અત્યારે અમારું ધ્યાન ફક્ત રેલ્વે ટ્રેક પર ટ્રેનોને સરળ રીતે ચલાવવા પર છે.

કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને શું કહ્યું ? 
કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને જણાવ્યું કે NDRF, ODRF અને રેલવેની ટીમોએ મૃતકોની ઓળખ કરવા અને ટ્રેકને રિપેર કરવા માટે આખી રાત કામ કર્યું છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ઓડિશા પહોંચી ગયા છે, તેઓ હોસ્પિટલોની મુલાકાત લેશે અને પરિસ્થિતિનો તાગ મેળવશે. ઘણી ટ્રેનોને રદ કરીને ડાયવર્ટ કરવામાં આવી છે. અમે ટ્રેકના રિસ્ટોરેશન પર કામ કરી રહ્યા છીએ.

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયા રવિવારે ભુવનેશ્વર પહોંચ્યા અને બાલાસોરમાં ટ્રિપલ ટ્રેન દુર્ઘટનામાં ઘાયલ થયેલા લોકોને આપવામાં આવી રહેલી તબીબી સહાયની સમીક્ષા કરી. આ વિનાશક ટ્રેન દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 288 લોકોના મોત થયા છે, જ્યારે 1,000થી વધુ લોકો ઘાયલ થયા છે. AIIMS દિલ્હીના તબીબી નિષ્ણાતોની એક ટીમ 1,000 થી વધુ ઘાયલ અને 100 ગંભીર દર્દીઓને સારવાર આપવા માટે તબીબી સાધનો સાથે ઓડિશામાં ટ્રેન અકસ્માત સ્થળની મુલાકાત લેશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ