ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / Do you often use extra oil after frying So careful know side effects

હેલ્થ / શું તમે તળ્યા પછી વધેલા તેલનો કરો છો વારંવાર ઉપયોગ? તો ચેતી જજો, જાણો સાઇડ ઇફેક્ટ્સ

Published By: Ajit Jadeja

Last Updated: 10:12 PM, 8 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રસોઈના તેલનો વારંવાર ઉપયોગ કરવાથી અથવા તેને ફરીથી ગરમ કરવાથી તેમાં ઝેરી તત્વો બનવા લાગે છે

ADVERTISEMENT

રસોઈ તેલનો વારંવાર ઉપયોગ અથવા તેને ફરીથી ગરમ કરવાથી તેમાં ઝેરી પદાર્થો બને છે. ભવિષ્યમાં જે શરીરમાં મુક્ત રેડિકલની સમસ્યાને વધારી શકે છે. અને તમે રોગચાળા કે ગંભીર બીમારીમાં સપડાઇ શકો છે.

તમે સાંજની ચા સાથે પકોડા અને પાપડ તળ્યા પછી, તમે કડાઈમાં બાકી રહેલું તેલ ફરીથી રાત્રે શાક બનાવવા માટે વાપરો છો, તો સાવચેત રહો. અજાણતા તમે તમારા અને તમારા પરિવારના સ્વાસ્થ્યને ઘણું નુકસાન પહોંચાડી રહ્યા છો. મોટેભાગે ઘરોમાં રસોઈ માટે બચેલા રસોઈ તેલનો ઉપયોગ થાય છે. પરંતુ શું તમે જાણો છો કે રસોઈના તેલનો વારંવાર ઉપયોગ કરવાથી અથવા તેને ફરીથી ગરમ કરવાથી તેમાં ઝેરી તત્વો બનવા લાગે છે, જે શરીરમાં ફ્રી રેડિકલની સમસ્યાને વધારી શકે છે. જે ભવિષ્યમાં શરીરમાં સોજા, સ્થૂળતા અને ડાયાબિટીસ જેવી અનેક ખતરનાક બીમારીઓનું કારણ બની શકે છે. ચાલો જાણીએ કે કેવી રીતે ઉપયોગમાં લેવાતા રસોઈ તેલનો ફરીથી ઉપયોગ ધીમે ધીમે તમારા સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડે છે.

પેટની સમસ્યાઓ થઇ શકે

બચેલા તેલનો ઉપયોગ કરવાથી વ્યક્તિ પેટ સંબંધિત અનેક પ્રકારની સમસ્યાઓનો શિકાર બની શકે  છે. જેવી કે અલ્સર, એસિડિટી, બળતરા જેવી સમસ્યાઓનો સામનો કરવા લાગે છે. જેના કારણે વ્યક્તિની પાચનક્રિયા પર ખરાબ અસર પડે છે અને તેને અપચો, કબજિયાત અને ઝાડા જેવી સમસ્યાઓ થવા લાગે છે.

સ્થૂળતા

મોટાભાગના લોકો આજે સ્થૂળતાની સમસ્યાથી પરેશાન છે. બચેલા ફ્રાયનો ફરીથી ઉપયોગ કરવાથી તમારી સ્થૂળતાની સમસ્યામાં વધારો થઈ શકે છે. વાસ્તવમાં, રાંધેલા તેલમાં ફરીથી રાંધેલી વસ્તુઓ ખાવાથી શરીરમાં ટ્રાન્સ ચરબીનું પ્રમાણ વધે છે, જે બિનઆરોગ્યપ્રદ ચરબી છે. જેના કારણે સ્થૂળતાની સમસ્યા વધવા લાગે છે. આવી સ્થિતિમાં, બને ત્યાં સુધી વપરાયેલ તેલનો ઉપયોગ ટાળવાનો પ્રયાસ કરો.

લોકોમાં વધી રહેલી બીપીની સમસ્યા

જો તમે હાઈ બ્લડ પ્રેશરના દર્દી છો તો બચેલા તેલનો ઉપયોગ કરવાનું ટાળો. તેલને વારંવાર ગરમ કરવાથી મુક્ત ફેટી એસિડ્સ અને રેડિકલ છૂટા પડે છે, જે ઝડપથી અનિયંત્રિત બ્લડ પ્રેશર તરફ દોરી જાય છે.

આ પણ વાંચોઃ કામની ટિપ્સ / ગરમીમાં કેરી ખાતા પહેલા આ 'આમ' વસ્તુ પર ધ્યાન આપજો, સ્વાદ સાથે સ્વાસ્થ્યમાં થશે ડબલ લાભ

પેટમાં બળતરા થાય

ગરમ તેલમાં રાંધેલો ખોરાક વારંવાર ખાવાથી એસિડનું પ્રમાણ વધે છે. જેના કારણે પેટ અને ગળામાં બળતરાની લાગણી થાય છે. જો તમને સામાન્ય કરતાં વધુ એસિડિટીનો અનુભવ થાય, તો જંક અને તળેલા ખોરાક સાથે બચેલા તેલમાં રાંધવાનું ટાળો. જો તમે વારંવાર તેલ ગરમ કરો છો, તો આવા તેલના ઉપયોગથી પેટમાં ગેસ અને બળતરા જેવી સમસ્યાઓ થઈ શકે છે.

સંકળાયેલા મુદ્દાઓ

Acidity Side Effects health tips એસિડિટી રસોઈ તેલ સાઇડ ઇફેક્ટ Health Tips

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ