બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / એલર્ટ! જામફળ ખાધા પછી આ વસ્તુઓ બિલકુલ ન ખાતાં, નહીંતર આવી જશે જીવ પર જોખમ
Last Updated: 08:22 PM, 24 November 2025
અમુક ફૂડ એવા હોય છે જેને ખાધા બાદ અમુક વસ્તુ ટાળવું જોઈએ. નહીં તો તે હેલ્થને ભારે નુકશાન કરી શકે છે. આવું જ એક ફળ છે જામફળ. જામફળનો ખાટો-મીઠો સ્વાદ હોય છે. પણ જામફળ ખાધા બાદ અમુક વસ્તુઓ ખાવાથી અને પીવાથી બચવું જોઈએ, નહીંંતર સ્વાસ્થ્યને ગંભીર નુકસાન થઈ શકે છે. ચાલો, જાણીએ કઈ વસ્તુઓ જામફળ ખાધા બાદ ન લેવી જોઈએ.
ADVERTISEMENT
જામફળ ખાધા બાદ તરત જ કેળું ખાવાથી પેટની અનેક સમસ્યાઓ થઇ શકે છે. જામફળમાં એસિડિક pH હોય છે અને કેળું ગળ્યું હોય છે. જ્યારે તમે આ બન્નેને સાથે ખાઓ છો તો તે ગેસ, માથાનો દુખાવો અને પેટની અનેક બીમારીઓનું કારણ બની શકે છે.
ADVERTISEMENT
જામફળ ખાધા બાદ પાણી પીવાથી વાત-પિત્ત અને કફ ઈમ્બેલેન્સ થઇ શકે છે. જેના કારણે શરદી ઉધરસની સમસ્યા થઈ શકે છે. તે તમારા પાચન એન્ઝાઇમ્સને પણ નુકસાન કરી શકે છે.
ADVERTISEMENT

ADVERTISEMENT
જામફળ ખાધા બાદ દૂધ પીવાથી પણ અનેક સમસ્યાઓ થઇ શકે છે. તે વિટામિન C સાથે રિએક્ટ કરે છે અને પછી પાચન ક્રિયાને સ્લો કરે છે. આથી પેટમાં દુખાવો થઈ શકે છે અને કબજિયાત પણ થઇ શકે છે.
ADVERTISEMENT
જામફળ ખાધા બાદ છાશ ન પીવી જોઈએ. તેનાથી એસિડિટીની સમસ્યા થઇ શકે છે. તેનાથી પેટ ખરાબ કરી શકે છે અને એસિડિટી અને પેટનો દુખાવો પણ થઇ શકે છે. આ સિવાય ઊલટીની સમસ્યા પણ થઈ શકે છે.
ADVERTISEMENT
જામફળ સાથે તરત દહી પણ ન ખાવી જોઈએ. આમ કરવાથી તમારા પેટમાં ઠંડક પહોંચવાનું જોખમ વધી શકે છે. આ સિવાય તમને ઊલટી પણ થઈ શકે છે.
(Disclaimer : આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.)
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.