બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / મોબાઈલ ચાર્જમાં હોય ત્યારે ન કરતા આ કામ, નહીંતર થઈ શકે બ્લાસ્ટ, જાણો રીત
Last Updated: 07:41 PM, 10 November 2025
હવે લગભગ દરેક લોકો સ્માર્ટફોન યુઝ કરતા થઇ ગયા છે. પરંતુ સ્માર્ટફોન યુઝ કરતી વખતે બેટરીને લઇકાગજી રાખવી જરૂરી છે. નહીં તો તે બેટરીની લાઈફને અસર કરે છે. ઘણા લોકો આખી રાત ફોન ચાર્જિંગમાં રાખતા હોય છે અને ક્યારેય 0% સુધી ચાર્જ કરતા નથી. ફોન ચાર્જ કરવાની આ આદતો સામાન્ય લાગે છે પરંતુ તે તમારા બેટરી માટે એટલી જ હાનિકારક સાબિત થઇ શકે છે.
ADVERTISEMENT
એક્સપર્ટ અને સંશોધન અનુસાર, કેટલાક મૂળભૂત નિયમોને સમજીને તમે તમારી બેટરીની લાઇફ અને સલામતી બંનેનું રક્ષણ કરી શકો છો. જેમાં મોટાભાગની સ્માર્ટફોન બેટરી લિથિયમ-આયન છે. લિથિયમ-આયન બેટરીને સંપૂર્ણ રીતે ખાલી કરવી કે તેને વારંવાર સંપૂર્ણ રીતે ચાર્જ કરવી એ સારી બાબત નથી.
એક્સપર્ટ અનુસાર, સંપૂર્ણ રીતે ડિસ્ચાર્જ થવાથી એટલે કે બેટરીને 0% સુધી લાવવાથી તેની લાઇફ ઘટે છે. આથી નાના ચાર્જિંગ સાઇકલનો ઉપયોગ કરવો વધુ બેસ્ટ છે. ઘણા લોકો તેમના ફોનની બેટરી સંપૂર્ણ રીતે ખાલી થાય ત્યાં સુધી રાહ જુએ છે. કેટલાક સંશોધન દર્શાવે છે કે બેટરીને વારંવાર હાઈ વોલ્ટેજ સ્થિતિમાં એટલે કે, 100% પર લાંબા સમય સુધી રાખવાથી લાંબા ગાળાનું નુકસાન થઈ શકે છે.
ADVERTISEMENT
જોકે બેટરીને 80% સુધી મર્યાદિત રાખવી એ બેટરી લાઇફ માટે બેસ્ટ માનવામાં આવે છે, આજના સ્માર્ટફોનમાં એડવાન્સ બેટરી મેનેજમેન્ટ સિસ્ટમ્સ હોય છે જે આ નુકસાનને ઘટાડે છે. તેમ છતાં તમારા ફોનને દરરોજ મોટાભાગે 20% થી 80% ની વચ્ચે ચાર્જ રાખવાનો પ્રયાસ કરો.
ફાસ્ટ ચાર્જિંગને લઈને પણ અમુક બાબતો છે. જેમાં અમુક અભ્યાસો દર્શાવે છે કે ખૂબ ફાસ્ટ ચાર્જ કરવાથી બેટરી પર દબાણ પડે છે અને તેની લાઈફ ઘટી શકે છે. સારી ગુણવત્તાવાળા ચાર્જર અને સ્માર્ટ બેટરી મેનેજમેન્ટ સિસ્ટમ્સ આ નુકસાનને અટકાવી શકે છે. એટલે કે, જો તમે ઓરીજનલ કે સર્ટિફાઈડ ચાર્જરનો ઉપયોગ કરી રહ્યા છો તો ફાસ્ટ ચાર્જિંગ નુકસાન પહોંચાડશે નહીં.
ADVERTISEMENT

ADVERTISEMENT
ADVERTISEMENT
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.