બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / સોનું ખરીદવું ક્યારે શુભ ગણાશે? જાણો અક્ષય તૃતીયાના મૂહુર્તનું સંપૂર્ણ ટાઇમટેબલ

ધર્મ / સોનું ખરીદવું ક્યારે શુભ ગણાશે? જાણો અક્ષય તૃતીયાના મૂહુર્તનું સંપૂર્ણ ટાઇમટેબલ

Last Updated: 04:39 PM, 29 April 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આવતીકાલે દેશભરમાં અક્ષય તૃતીયા ઉજવાશે. આ દિવસે સોનું ખરીદવાને લઈ શુભ માનવામાં આવે છે. જો તેની શરુઆત આજથી થશે પણ તેના દરેક શુભ મુહૂર્ત આવતીકાલે છે.

આવતીકાલે એટલે કે 30 એપ્રિલે દેશભરમાં અક્ષય તૃતીયાની ઉજવાશે. પણ તે આજથી એટલે કે મંગળવારથી શરૂ થશે. પરંતુ દરેક શુભ મુહૂર્ત આવતીકાલે એટલે કે બુધવારે છે. અક્ષય તૃતીયા પર સોનું ખરીદવું શુભ માનવામાં આવે છે. જો તમે કાલે સોનું ખરીદવા માંગતા હોવ તો પહેલા જાણો કે તેને ખરીદવાનો શુભ સમય કયો છે.

અક્ષય તૃતીયાનો દિવસ નવા વ્યાપાર માટે પણ સારો માનવામાં આવે છે. આ દિવસ રોકાણ શરૂ કરવા માંગતા લોકો માટે શુભ માનવામાં આવે છે.  અક્ષય તૃતીયાના દિવસે કરવામાં આવેલી ખરીદી લાંબા ગાળાનું રિટર્ન આપે છે. આ સિવાય આ દિવસે નવું ઘર ખરીદવાને પણ શુભ માનવામાં આવે છે.

અક્ષય તૃતીયાના શુભ મુહૂર્ત

  1. તૃતીયા તિથિ શરૂ: 29 એપ્રિલ સાંજે 5:31 વાગ્યે
  2. તૃતીયા તિથિ સમાપ્ત : 30 એપ્રિલ બપોરે 2:12 વાગ્યે
  3. પૂજા મુહૂર્ત: સવારે 5:41 થી 12:18 સુધી
  4. સોનું ખરીદવા માટે મુહૂર્ત: સવારે 5:41 થી બપોરે 2:12 વાગ્યા સુધી
  5. અમૃત કાલ: બપોરે 1:25 થી 2:51 સુધી
  6. બ્રહ્મ મુહૂર્તઃ સવારે 4:14 થી 4:58 સુધી
  7. વિજય મુહૂર્ત: બપોરે 2:31 થી 3:24 સુધી
  8. ગોધુલિ મુહૂર્ત: સાંજે 6:55 થી 7:16
  9. નિશિતા મુહૂર્ત: બપોરે 11:57 થી 12:40 સુધી (1 મે)
  • શા માટે ઉજવાય છે અક્ષય તૃતીયા?

હિન્દુ ધર્મની કથા મુજબ, ભગવાન કૃષ્ણ પાંડવોના વનવાસ દરમિયાન તેમની મુલાકાતે ગયા હતા. દ્રૌપદીને લાગ્યું કે તેની પાસે કંઈ નથી તેથી તેને માફી માંગી. દ્રૌપદીની ભક્તિથી પ્રસન્ન થઈને કૃષ્ણ ભગવાને તેમના ભોજનના પાત્રમાંથી એક ઔષધિ કાઢી અને પાંડવોને અક્ષય પાત્ર આપ્યું. આ એક એવું વાસણ હતું જેમાં ભોજન ક્યારેય ખતમ થતું નથી. બીજી એક કહાની એવી છે કે ભગવાન શિવ અને ભગવાન બ્રહ્મા પાસેથી આશીર્વાદ મેળવ્યા બાદ આ દિવસે ભગવાન કુબેરને સ્વર્ગની સંપત્તિના રક્ષક બનાવવામાં આવ્યા હતા.

વધુ વાંચો : અક્ષય તૃતીયા પર તુલસી સાથે જોડાયેલ આવી ભૂલો ન કરતા, નહીંતર લક્ષ્મીજી થઇ જશે નારાજ

  • સોનાનો ભાવ શું ?
    અક્ષય તૃતીયા પહેલા સોનાના ભાવમાં ઘટાડો થયો છે. દિલ્હી બુલિયન માર્કેટમાં સોનાનો ભાવ 1000 રૂપિયા ઘટીને 98400 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થયો છે. ચાંદી પણ 1400 રૂપિયા ઘટીને 98500 રૂપિયા પ્રતિ કિલો થઈ ગઈ. અમેરિકા-ચીન વેપાર તણાવમાં ઘટાડો અને ડોલર મજબૂત થવાને કારણે સોના પર દબાણ વધ્યું છે. મંગળવારે MCX પર પણ સોનાના ભાવમાં ઘટાડો થયો હતો.

(DISCLAIMER: ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.)

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Gold Buying Akshay Tritiya Shubh Muhurat
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ