બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / આજે અક્ષય તૃતીયાના દિવસે અપનાવો આ ઉપાય, વધશે સુખ-શાંતિ અને વૈભવ

માન્યતા / આજે અક્ષય તૃતીયાના દિવસે અપનાવો આ ઉપાય, વધશે સુખ-શાંતિ અને વૈભવ

Last Updated: 10:58 AM, 30 April 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અક્ષય તૃતીયાના દિવસે કેટલાક ખાસ ઉપાય કરવાથી ધન સંબંધિત તકલીફો ઘટી શકે છે. આવો જાણીએ કે તિજોરી સાથે જોડાયેલા કેટલાક ખાસ ઉપાય કયા છે?

આ વર્ષે અક્ષય તૃતીયાના દિવસે સર્વાર્થ સિદ્ધિ યોગ સાથે શોભન અને રવિ યોગ પણ બની રહ્યો છે. સાથે જ લક્ષ્મી-નારાયણ રાજયોગનું પણ નિર્માણ થઈ રહ્યું છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર, આ યોગમાં ધનની દેવી મા લક્ષ્મીની પૂજા કરવી અને સોનુ ખરીદવું શુભ માનવામાં આવે છે.

આખા વર્ષમાં અક્ષય તૃતીયાનો દિવસ માંગલિક કાર્યો, ખરીદી અને અન્ય તમામ શુભ કાર્યો માટે અક્ષય એટલે કે સદાય શુભ માનવામાં આવે છે. આ એક સ્વયંસિદ્ધ મુહૂર્ત છે. આ દિવસે જે જોડી લગ્નના પવિત્ર બંધનમાં બંધાય છે, તેમના દાંપત્ય જીવનમાં સ્થિરતા રહે છે. એટલે આ દિવસે સૌથી વધુ લગ્ન થાય છે.

akshay-tritya-yog-2.width-800

સામાન્ય રીતે અક્ષય તૃતીયા સ્વયંસિદ્ધ મુહૂર્ત છે, પણ આ વખતે અનેક શુભ યોગ પણ રહેવાના હોવાથી જમીન, મકાન, દાગીના વગેરે જેવી સ્થાયી સંપત્તિ ખરીદવા માટે પણ આ દિવસ ખૂબ જ શુભ ગણાય છે. આ દિવસે કેટલાક ઉપાયો દ્વારા ધન સંબંધિત સમસ્યાઓમાંથી રાહત મળી શકે છે. ચાલો જાણીએ તિજોરી સાથે જોડાયેલા 3 ખાસ ઉપાય.

શંખ

  • ધાર્મિક માન્યતા પ્રમાણે, માતા લક્ષ્મીનો સંબંધ શંખ સાથે પણ માનવામાં આવે છે.
  • એટલે અક્ષય તૃતીયાના દિવસે ધનની જગ્યા અથવા તિજોરીમાં શંખ રાખવો જોઈએ.
  • આથી તિજોરીમાં માતા લક્ષ્મીનો નિવાસ રહેશે.
ak_2025.width-800

કૂબેર યંત્ર

  • કૂબેર દેવ ધનના દેવતા છે.
  • તેથી સુખ-સમૃદ્ધિમાં વૃદ્ધિ માટે અક્ષય તૃતીયાના દિવસે તિજોરીમાં કૂબેર યંત્ર રાખવો શ્રેષ્ઠ રહેશે.

હળદરની ગાંઠ

  • અક્ષય તૃતીયાના દિવસે હળદરની પાંચ ગાંઠ ને લાલ કે પીળા કપડામાં બાંધીને તિજોરીમાં રાખવી.
  • ધાર્મિક માન્યતા પ્રમાણે, તિજોરીમાં હળદરની ગાંઠ રાખવાથી ગરીબી દૂર થવાની શક્યતા રહે છે અને માતા લક્ષ્મીની કૃપા સતત બની રહે છે.

વધુ વાંચો: અક્ષય તૃતીયા પર અક્ષય યોગનો દુર્લભ સંયોગ આ જાતકો પર કરશે ધનવર્ષા, તમારી રાશિ તો નથી ને!

અક્ષય તૃતીયાને લગતી અન્ય ધાર્મિક માન્યતાઓ

  • આ દિવસે પિતૃ તારોણું, દાન, તીર્થસ્નાન અને જપ-તપ કરવાનું વિશેષ મહત્વ છે.
  • આ દિવસે સુવર્ણ ખરીદવું ખૂબ જ શુભ માનવામાં આવે છે.
  • સોનાં દાગીના કે નાણાં ખરીદવાથી લક્ષ્મીજીના આશીર્વાદ મળે છે.

(DISCLAIMER: ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.)

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Akshaya Yoga Akshaya Tritiya 2025 Akshaya Tritiya Upay
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ