બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / અક્ષય તૃતીયા પર અક્ષય યોગનો દુર્લભ સંયોગ આ જાતકો પર કરશે ધનવર્ષા, તમારી રાશિ તો નથી ને!

photo-story

7 ફોટો ગેલેરી

જયોતિષ શાસ્ત્ર / અક્ષય તૃતીયા પર અક્ષય યોગનો દુર્લભ સંયોગ આ જાતકો પર કરશે ધનવર્ષા, તમારી રાશિ તો નથી ને!

Last Updated: 10:43 AM, 30 April 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

અક્ષય યોગ તે સમયે બને છે જ્યારે ચંદ્ર અને ગુરુ ગ્રહ જન્મકુંડળીના બીજા, છઠ્ઠા, દસમા કે અગિયારમા ભાવમાં એકસાથે હોય. જો ચંદ્ર પોતાની ઉચ્ચ રાશિ વૃષભમાં હોય સુર્ય પણ પોતાની ઉચ્ચ રાશિ મેષમાં સ્થિત હોય તો આ યોગ વધુ શક્તિશાળી બને છે. ચાલો જાણીએ અક્ષય યોગનો લાભ કઈ રાશિઓને થશે?

1/7

photoStories-logo

1. અક્ષય યોગ

સન 2025 ની અક્ષય તૃતીયાને જ્યોતિષ દ્રષ્ટિએ અત્યંત શુભ ગણવામાં આવી રહી છે કારણકે આ દિવસે એક એવો યોગ બની રહ્યો છે જે છેલ્લા 24 વર્ષમાં બીજીવાર બનવાનો છે. છેલ્લે 26 એપ્રિલ 2001 ના રોજ આ યોગ બન્યો હતો. જેને અક્ષય યોગ કહેવામાં આવે છે. અક્ષય યોગ એટલે એવો યોગ કે જેના ફળો ક્યારેય સમાપ્ત થતા નથી. એટલે કે આ યોગના લાભો જીવનભર ટકી રહે છે. આ કારણે આ યોગ ખાસ કરીને લાભદાયી અને શુભ માનવામાં આવે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/7

photoStories-logo

2. વૃષભ રાશિ

આ રાશિના જાતકો માટે આ અક્ષય તૃતીયા આર્થિક રીતે ખૂબ લાભદાયી સાબિત થઈ શકે છે. તમે જો કોઈ રોકાણ કે સંપત્તિ સંબંધિત નિર્ણયો લેવા માંગો છો તો આ સમય ખૂબ જ શુભ છે. નોકરીમાં નવા અવસરો મળી શકે છે અથવા હાલની નોકરીમાં પ્રમોશનના યોગ છે. વેપાર કરતા લોકોને અચાનક નફો અથવા નવી ડીલ્સ મળી શકે છે. ઘરમાં ખુશહાલી રહેશે અને કોઇ શુભ સમાચારથી ઘરમાં ખુશીની લાગણી રહેશે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/7

photoStories-logo

3. કર્ક રાશિ

આ રાશિના જાતકો માટે આ યોગ ભાવનાત્મક સંતુલન અને માનસિક શાંતિ લાવશે. ચંદ્ર એ રાશિ સ્વામી હોવાથી આ યોગનો અસર વધુ જ જોઇ શકાય. આવકના નવા માર્ગ ખુલશે અને જો ધન ક્યાંક અટકાયું હશે તો તે પાછું મળવાની શક્યતા છે. આરોગ્યમાં પણ સુધારો જોવા મળશે. જૂના રોગો પણ સાજા થવાની સંભાવના છે. તમે તમારા માનસિક અને આર્થિક પાસાને મજબૂત બનાવી શકશો.

આ તસવીર શેર કરો

logo logo logo

4/7

photoStories-logo

4. કન્યા રાશિ

આ સમય તમારા માટે કારકિર્દી સંબંધિત સ્થિરતા અને વૃદ્ધિ માટે અનુકૂળ છે. જો તમે લાંબા સમયથી સારી તકની રાહ જોઇ રહ્યા છો તો હવે તમારો પરિશ્રમ સફળ બની શકે છે. નોકરી બદલાવ કે પ્રમોશનના યોગ છે. વિદ્યાર્થીઓ માટે, ખાસ કરીને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે પણ આ સમય શુભ છે. ધાર્મિક અને આધ્યાત્મિક રૂચિ વધી શકે છે અને કોઇ ધાર્મિક સ્થળની મુલાકાત શક્ય છે. વેપારમાં ભાગીદારીથી નફો મળવાની સંભાવના છે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/7

photoStories-logo

5. ધન રાશિ

આ રાશિના જાતકો પર આ યોગનો વિશેષ પ્રભાવ પડશે કારણ કે આ રાશિના સ્વામી પોતે ગુરુ છે. નસીબ સાથ આપશે અને અટકેલા કામો ઝડપથી આગળ વધશે. જો તમે વિદેશ જવાની તૈયારી કરી રહ્યા છો અથવા ઉચ્ચ અભ્યાસ અંગે યોજના બનાવી રહ્યાં છો તો આ સમય ખૂબ જ અનુકૂળ છે. આર્થિક રીતે સ્થિરતા આવશે અને રોકાણથી લાભ મળશે. તમારા લક્ષ્યો હાંસલ કરવા માટે હવે તમે વધુ નજીક પહોંચી શકો છો.

આ તસવીર શેર કરો

logo logo logo

6/7

photoStories-logo

6. મીન રાશિ

આ રાશિના જાતકો માટે આ અક્ષય યોગ આધ્યાત્મિક તેમજ આર્થિક રીતે પણ અનુકૂળ રહેશે. આત્મવિશ્વાસમાં વધારો થશે, જે જીવનના વિવિધ નિર્ણયો લેવા માટે મદદરૂપ બનશે. કુટુંબમાં પ્રેમ અને સમજૂતી વધશે અને લગ્નજીવનમાં પણ સુમેળ રહેશે. પ્રેમ સંબંધોમાં સ્થિરતા આવશે. અટકેલી યોજના હવે પૂર્ણ થઈ શકે છે. સામાજિક માન-સન્માન અને પ્રતિષ્ઠામાં પણ વધારો થવાની સંભાવના છે.

આ તસવીર શેર કરો

logo logo logo

7/7

photoStories-logo

7. Disclaimer

ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Akshaya Yoga Akshaya Tritiya 2025 Astrology
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ