બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / રણુજાથી દર્શન કરી પરત ફરતાં ધાનેરાના યાત્રાળુનો અકસ્માત, ઘટનાસ્થળે 3નાં મોત, 3ને ઈજા
Last Updated: 05:07 PM, 17 May 2026
બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકાના થાવર ગામના યાત્રાળુઓ માટે રણુજાથી પરત ફરવાનો પ્રવાસ કરુણ ઘટનામાં ફેરવાયો હતો. રાજસ્થાનના બાલોતરા જિલ્લામાં આવેલા આસોતરા નજીક ભારતમાલા માર્ગ પર તેમની કારને ગંભીર અકસ્માત નડ્યો હતો, જેમાં 3 લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા, જ્યારે અન્ય 3 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત બન્યા હતા.
ADVERTISEMENT
ઈજાગ્રસ્તોના નામ
ADVERTISEMENT
નીલગાયે વાહન ચાલકને બચાવવા પ્રયાસ કર્યો
મળતી માહિતી મુજબ યાત્રાળુઓ રણુજાના દર્શન કરીને પોતાના વતન તરફ પરત ફરી રહ્યા હતા. તે દરમિયાન આસોતરા નજીક અચાનક કાર સામે નીલગાય આવી ચડતા ચાલકે વાહન બચાવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતા કાર રોડ પર પલટી ખાઈ ગઈ હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે કારનો આગળનો ભાગ ચકનાચૂર થઈ ગયો હતો.
ADVERTISEMENT
મૃતકોના નામ
ADVERTISEMENT
પોલીસ તાત્કાલીક ઘટના સ્થળે દોડી આવી
અકસ્માતની જાણ થતાં જ સ્થાનિક લોકો અને પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. ઈજાગ્રસ્તોને તાત્કાલિક નજીકની નાહટા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ તેમની ગંભીર સ્થિતિને ધ્યાનમાં રાખીને વધુ સારવાર માટે જોધપુર રીફર કરવામાં આવ્યા હતા.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ 'ગુજરાત આઝાદી જેવું નેતૃત્વ ટેકનોલોજીમાં પણ કરશે', અમિત શાહે 'મિલિયન માઈન્ડ્સ ટેક સિટી'નું લોકાર્પણ કર્યુ
અકસ્માત અંગે વધુ તપાસ હાથ ધરી
ADVERTISEMENT
પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી અકસ્માત અંગે વધુ તપાસ હાથ ધરી છે. આ દુર્ઘટનાએ થાવર ગામ સહિત સમગ્ર પંથકમાં શોકની લાગણી ફેલાવી દીધી છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.