બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા
એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી
લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ
લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા
રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા
ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી
કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી
રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે
લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Devotees get a glimpse of Nandinath Mahadev as water recedes from Kadana Dam
Malay
Last Updated: 12:45 PM, 25 June 2023
મહીસાગર જિલ્લામાં આવેલા કડાણા ડેમની જળ સપાટીમાં ઘટાડો થતાં ડેમની વચ્ચોવચ ડુંગરની ગુફામાં આવેલા પૌરાણિક નંદીનાથ મહાદેવ મંદિરના દ્વાર ખુલ્યા છે. ડેમની વચ્ચોવચ ડુંગરની ગુફામાં આવેલ નંદીનાથ મહાદેવ મંદિરના દ્વાર ખુલતા દર્શનઘેલા ભક્તો આનંદવિભોર બન્યા છે. ડેમની જળસપાટી નીચી જતા નંદીનાથ મહાદેવના દર્શન કરવા માટે નાવડીઓ લઈને શિવભક્તો ઉમટી પડ્યા છે. ઔલોકીક શિવજીની ગુફા 20 વર્ષ બાદ ગત અને આ વર્ષે ખુલ્લી જોવા મળી રહી છે.
ડેમની વચ્ચોવચ ડુંગરની ગુફામાં આવેલું છે મંદિર
કડાણા ડેમની વચ્ચે આવેલું 850 વર્ષ જૂના મંદિરના દ્વાર ખુલ્યા છે. કડાણા ડેમની જળ સપાટી ઘટાડો થતા ગુફામાં મહાદેવના દર્શન થઈ રહ્યા છે. શ્રદ્ધાળુઓ નાવડીમાં બેસીને મહાદેવના દર્શનાર્થે જઈ રહ્યા છે. નદીનાથ મહાદેવના દ્વાર ખુલ્લા થતા ભક્તોમાં ખુશીનો માહોલ પણ જોવા મળી રહ્યો છે.
દર્શનઘેલા ભક્તો આનંદવિભોર બન્યા
એક લોકવાયકા મુજબ, અહીંયા મહિપુનમ ભાદરવી પૂનમે મેળો ભરાતો હતો. જેમાં મોટી સંખ્યામાં લોકો આવતા હતા. પરંતુ બાદમાં ડેમનું નિર્માણ થતાં ગુફામાં આવેલા નંદીનાથ મહાદેવ મંદિર ડૂબી ગયું હતું. ડેમમાં જળ સપાટી વધતા મંદિર પાણીમાં ગરક થઈ જાય છે. 850 વર્ષ જૂનું આ ઔલોકિક શિવજીનું મંદિર 20 વર્ષ બાદ ગત વર્ષના શ્રાવણ માસમાં ખૂલ્યું હતું. આ વર્ષે ફરી એકવાર મંદિર ખુલતાં દર્શનઘેલા ભક્તો આનંદવિભોર બન્યા છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા