બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 11:11 AM, 31 July 2023
ADVERTISEMENT
ચોમાસાની શરૂઆત થતા મચ્છરજન્ય રોગનું પણ જોખમ વધ્યું છે. એડિઝ મચ્છર કરડવાથી ડેંગ્યુ ફેલાય છે. ડેંગ્યુ થાય તો તાવ, માથાનો દુખાવો, માંસપેશીઓમાં દુખાવો થાય છે અને શરીરની પ્લેટલેટ્સ ઝડપથી ઓછી થવા લાગે છે. સામાન્ય રીતે બાળકો અને વૃદ્ધ ડેંગ્યુની ચપેટમાં આવે છે. ડેંગ્યુના સામાન્ય લક્ષણ હોય તો પણ તે જીવલેણ હોય છે. ડેંગ્યુ થાય ત્યારે ખાનપાનનું ખાસ ધ્યાન રાખવું પડે છે. આવો જાણીએ ડેંગ્યુમાં શું ખાવું જોઈએ અને શું ના ખાવું જોઈએ.
ડેંગ્યુમાં શું ના ખાવું જોઈએ
મસાલેદાર ભોજન- ડેંગ્યુના દર્દીઓએ મસાલેદાર ભોજનનું સેવન ના કરવું જોઈએ. જેના કારણે પેટમાં એસિડ જમા થાય છે અને અલ્સરની સમસ્યા છે. આ સમસ્યાથી રાહત મેળવવામાં વધુ સમય લાગે છે.
ADVERTISEMENT
.jpg)
કોફી- ડેંગ્યુના દર્દીઓએ કોફી અથવા કેફીનયુક્ત વસ્તુઓનું સેવન ના કરવું જોઈએ. જેના કારણે હાર્ટબીટ વધી શકે છે, થાક લાગે છે અને માંસપેશીઓમાં સમસ્યા થવા લાગે છે.
ADVERTISEMENT

માંસાહારી ભોજનનું સેવન ના કરવું- ડેંગ્યુના દર્દીઓએ નોનવેજ ના ખાવું જોઈએ. નોનવેજમાં મસાલો વધુ હોય છે, જે સરળતાથી પચી શકતો નથી. આ કારણોસર ડેંગ્યુ થાય ત્યારે હુંફાળા પાણીનું સેવન કરવું અને પ્રવાહી વધુ લેવું.
ADVERTISEMENT

ડેંગ્યુ થાય તો શું ખાવું જોઈએ?
નારિયેળ પાણી- ડેંગ્યુ થાય તો નારિયેળ પાણીનું સેવન કરવું તે વધુ ફાયદાકારક માનવામાં આવે છે. નારિયેળ પાણીમાં ભરપૂર માત્રામાં ઈલેક્ટ્રોલાઈટ્સ અને પોષક તત્ત્વો હોય છે, જે શરીરમાં પાણીની ઊણપ દૂર કરે છે.
ADVERTISEMENT

પપૈયાના પાન- પપૈયાના પાનમાં પપૈન અને કાઈમોપૈપેન જેવા એન્ઝાઈમ્સ રહેલા હોય છે, જેની મદદથી પાચન સરળતાથી થાય છે. સોજો આવતો નથી અને પેટ ફૂલવાની સમસ્યા થતી નથી. ઉપરાંત પ્લેટલેટ ઝડપથી વધવા લાગે છે. 30 ml પપૈયાના પાનના રસનું સેવન કરવાથી પ્લેટલેટ વધે છે અને ડેંગ્યુના ઈલાજમાં ફાયદાકારક છે.
ADVERTISEMENT

કીવી- કીવીમાં ભરપૂર માત્રામાં પોટેશિયમની સાથે સાથે વિટામીન એ અને વિટામીન ઈ હોય છે. જે શરીરના ઈલેક્ટ્રોલાઈટ્સ સંતુલિત કરવાની સાથે સાથે હાઈપરટેંશન અને હાઈ બ્લડપ્રેશર પણ કંટ્રોલ કરે છે. કીવીમાં રહેલ કોપરને કારણે રક્તકોશિકાઓનું નિર્માણ થાય છે અને રોગ પ્રતિકારક શક્તિમાં વૃદ્ધિ થાય છે, જે ડેંગ્યુના તાવને દૂર કરવા માટે લાભકારી ગણાય છે.

(Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.)
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.