બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 03:16 PM, 29 July 2024
યોગગુરુ બાબા રામદેવને ફરી એકવાર કોર્ટ તરફથી ઝટકો લાગ્યો છે. હવે દિલ્હી હાઈકોર્ટે બાબા રામદેવ અને આચાર્ય બાલકૃષ્ણને સોશ્યિલ મીડિયા પરથી દાવો પાછો ખેંચવા કહ્યું છે જેમાં 'કોરોનિલ'ને કોરોનાના ઈલાજ તરીકે પ્રચાર કરવામાં આવ્યો હતો. કોર્ટે તેમને કહ્યું કે 3 દિવસમાં આ દાવો અને એલોપેથીની અસરને લઈને જે વાતો કહેવામાં આવી છે તે બધું પાછું ખેંચી લેવામાં આવશે.
ADVERTISEMENT
બાબા રામદેવે ખોટા દાવા કર્યાં હતા
દિલ્હી મેડિકલ એસોસિએશન (DMA) દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર કોર્ટે આ આદેશ આપ્યો છે. અરજીમાં કહેવામાં આવ્યું હતું કે રામદેવની કંપનીએ કોરોનિલ કીટ વિશે ખોટા દાવા કર્યા હતા અને તેને કોરોના રોગનો ઈલાજ ગણાવ્યો હતો, જ્યારે તેને ઈમ્યુનિટી બૂસ્ટર તરીકે લાઇસન્સ આપવામાં આવ્યું હતું. અરજીમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે રામદેવનો દાવો કોરોનિલ સહિત તેના ઉત્પાદનોના વેચાણને વધારવા માટે ખોટો પ્રચાર અભિયાન અને માર્કેટિંગ વ્યૂહરચના છે.
ADVERTISEMENT
વધુ વાંચો : PGમાં 24 વર્ષની છોકરીનું ગળું કાપીને હત્યાથી સનસનાટી, સહેલીનો બોયફ્રેન્ડ કાતિલ બન્યો
પતંજલિની 14 દવાઓ પર પ્રતિબંધ
ADVERTISEMENT
ઉલ્લેખનીય છે કે પતંજલિ આયુર્વેદને ભ્રામક જાહેરાતના કેસમાં સુપ્રીમ કોર્ટે ફટકાર લગાવી હતી અને યોગ ગુરુ રામદેવ અને કંપનીના એમડી આચાર્ય બાલકૃષ્ણને હાજર થવા માટે સમન્સ પાઠવવામાં આવ્યા હતા. નવેમ્બર 2023માં જ સુપ્રીમ કોર્ટે પતંજલિને ભ્રામક દાવા કરતી જાહેરાતો પાછી ખેંચવાનો આદેશ આપ્યો હતો. જો આમ કરવામાં નહીં આવે તો અમે કાર્યવાહી કરીશું. આવી સ્થિતિમાં પતંજલિની દરેક ખોટી જાહેરાત પર 1 કરોડ રૂપિયાનો દંડ વસૂલવામાં આવશે. બાબા રામદેવના વકીલે કહ્યું કે અમે આવી જાહેરાત માટે માફી માંગીએ છીએ. તમારા આદેશ પર યોગ ગુરુ રામદેવ પોતે કોર્ટમાં આવ્યા છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.