બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / લગ્ન પછી દીકરી પોતાના પિતાની મિલકતમાં ભાગ માંગી શકે ? જાણો કાયદાના નિયમો
Last Updated: 06:25 PM, 24 October 2025
પરિણીત દીકરીઓ ઘણીવાર તેમના પિતાની મિલકત પર પોતાનો હક ચકાસવા માટે પ્રયાસ કરે છે. પરંતુ, એ દાવો દરેક કિસ્સામાં માન્ય નથી. તાજેતરના કોર્ટેના ચુકાદાએ આ બાબતને સ્પષ્ટ કરી દીધું છે, અને કેટલાક કાયદાકીય મુદ્દાઓ પર ગેરસમજોને દૂર કરી છે. કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે, ચોક્કસ પરિસ્થિતિઓમાં પુત્રીનો તેના પિતાની કે પૂર્વજોની મિલકત પર અધિકાર નથી.
ADVERTISEMENT
આ કેસ એક હિન્દુ પરિવારમાં સંકળાયેલો હતો, જ્યાં પિતાના મૃત્યુના વર્ષે મિલકતના અધિકારો નક્કી કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. કોર્ટના ચુકાદામાં જણાવાયું હતું કે બધા જકિસ્સામાં પુત્રીને તેના પિતાની મિલકતમાં સમાન હિસ્સો નહીં મળે, આ માટે પિતાના મૃત્યુનું વર્ષ કયું છે તે પણ મહત્વનું રહેશે.
પુત્રીના અધિકાર પર કાયદાની સ્પષ્ટતા
1956 ના હિન્દુ ઉત્તરાધિકાર અધિનિયમ મુજબ, જો પિતાનું અવસાન 1956 પછી થયું હોય, તો પુત્રીઓ પણ પિતાની પૈતૃક મિલકતમાં સામેલ થઈ શકે છે અને તેમને સમાન હિસ્સો મળવો જોઈએ. આ કાયદાનો પ્રભાવ પિતાની મિલકત પર સીધો પડે છે, અને તે દીકરાઓની જેમ પુત્રીઓના અધિકારોને માન્ય કરે છે.
ADVERTISEMENT
પરંતુ 1956થી પહેલા, જ્યારે હિન્દુ ઉત્તરાધિકાર કાયદો લાગુ થતો ન હતો, ત્યારે દીકરીઓને તેમના પિતાની મિલકત પર કોઈ અધિકાર પ્રાપ્ત થતો નહોતો. આ કાયદાના અમલ પહેલાં, મિતાક્ષરા કાયદો લાગુ પડતો હતો, જેમાં ફક્ત દીકરાઓને જ મિલકતમાં હિસ્સો મળતો હતો.
1956 થી પહેલા પિતાનું અવસાન થયા પછી
આમ 1956 પહેલા પિતાનું અવસાન થયું હોય તો, તે દીકરીઓને તેમના પિતાની મિલકત પર અધિકાર ત્યારે જ મળે જ્યારે પિતાને કોઇ દીકરો ન હોય. તાજેતરમાં, છત્તીસગઢ હાઈકોર્ટે પણ આ જ નિર્ણય આપ્યો હતો. કોર્ટે જણાવ્યું હતું કે 1956 પહેલાં પિતાના મૃત્યુ પામવાના કિસ્સામાં, દીકરીઓને વારસો મેળવવા માટે કાયદે કોઈ અધિકાર નથી, 1956 પહેલા પિતાનું મૃત્યુ થયું હોય તો દીકરીને પિતાની મિલકતમાં હક્ક ત્યારે જ મળી શકે જ્યારે પિતાને કોઇ દીકરો ન હોય.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ 'જો 100 શહાબુદ્દીન આવે તો પણ કોઈનો વાળ વાંકો ન કરી શકે...' સિવાનમાં બોલ્યા અમિત શાહ
કાયદાના દ્રષ્ટિકોણથી
આ કાયદા હેઠળ, માત્ર દીકરાઓને જ વારસો મેળવવાનો અધિકાર હતો. જો પરિવારમાં કોઈ દીકરા ન હોય, ત્યારે અને ફક્ત ત્યારે દીકરીઓને મિલકત પર હક મેળવવાનો અધિકાર આપવામાં આવતો હતો. 1956 પછી, જ્યારે હિન્દુ ઉત્તરાધિકાર કાયદો અમલમાં આવ્યો, ત્યારે દીકરીઓને પણ સમાન હક આપવામાં આવી.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.