અર્જુન મોઢવાડિયાએ રાજ્ય અને કેન્દ્ર સરકાર પર આક્ષેપ કર્યા હતા અને દેશ અને ગુજરાતમાં કોરોના સંક્રમણ વધવા પાછળ સરકાર હોવાનો પણ આક્ષેપ મૂકયો હતો તેમણે કહ્યુ હતુ કે, ઓક્સિજન નહી મળે તેવી જાણ છતાં સરકારે પગલાં ના લીધા. વહીવટી તંત્રને ખોરવી નાખવાનું કામ ભાજપે કર્યું છે. મુખ્યમંત્રીના હોમટાઉનમાં રેમડેસીવીર ઇન્જેક્શન મળતા નથી. પોતાની ફેક્ટરી હોય તેમ પાટીલ બધુ લઇ જાય છે. ખેસ પહેરી બાટલા સામે બેસી ફોટો પડાવે છે. સ્મશાનોમાં પણ જગ્યા નથી મળી રહી.
ભાજપના નેતા રેમડેસિવિરનો કાળા બજાર કરી રહ્યાં છે
અર્જુન મોઢવાડિયાએ વધુ જણાવ્યુ હતુ કે, સરકાર કેસ, મોત બધાના આંકડા છુપાવી રહી છે. રેમડેસિવિર ઇન્જેક્શન મળતા નથી તો જાય છે ક્યાં? કોરોનાથી સૌરાષ્ટ્રની અત્યંત ખરાબ છે. ઓક્સિજનમાં ટ્રાન્સપોર્ટ ની પ્રોબ્લેમ છે. કોરોનાના દર્દીઓ માટે કોંગ્રેસ હેલ્પ સેન્ટર શરૂ કરશે. કોંગ્રેસ નેતાઓ હોસ્પિટલમાં જઇ કામગીરીની સમીક્ષા કરશે. ભાજપના નેતા રેમડેસિવિરનો કાળા બજાર કરી રહ્યાં છે. સી.આર.પાટીલ 5 હજાર ઇન્જેક્શન લઇ હતા.