મધ્યપ્રદેશના રાજગઢમાં લોકોને કોરોનાથી બચાવવા માટે બે પરીઓ પૃથ્વી પર ઉતરી આવી હોવાની અફવા ફેલાતા મંદિરની બહાર લોકોના ટોળેટોળા ઉમટ્યાં હતા.
મધ્યપ્રદેશના રાજગઢમાં અફવા ફેલાઈ
લોકોને કોરોનાથી બચાવવા બે પરીઓ પૃથ્વી પર આવી
પરીઓ પાણી દ્વારા કોરોના મટાડે છે-અફવામાં કહેવાયું
એમપીના રાજગઢમાં કોરોનાથી લોકોને બચાવવા બે પરીઓ ધરતી પર ઉતરી આવી છે તેવી અફવા ફેલાતા લોકોના ટોળેટોળા ઉમટી પડ્યાં હતા.
રાજગઢ શહેરના લોકોને સાંભળ્યું કે ધરતી પર ઉતરી આવેલી પરીઓ પાણીથી કોરોનાના દર્દીઓને સાજા કરે છે. આટલું સાંભળતા મંદિરની બહાર હકડેઠઠ ભીડ જામી ગઈ હતી. લોકોએ સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોના પણ ધજાગરા ઉડાવ્યાં હતા.
પરીઓ પાણીથી કોરોના મટાડતી હોવાની અફવા ફેલાઈ
રાજગઢના ચાડુખેડા ગામમાં એવી અફવા ફેલાઈ કે બે મહિલાઓના શરીરમાં પરીઓ આવી છે. આ પરીઓ પાસેથી જળના છાંટા લેશે તેને કોરોના નહીં થાય. બસ આ અફવા ફેલાતા લોકોના ટોળેટોળા ઉમટી પડ્યાં હતા.
ઘટનાની જાણ થતા પોલીસે મંદિર પહોંચી હતી અને લોકોને હટાવી દીધા હતા. પોલીસે અફવા ફેલાવનાર લોકોની સામે એફઆઈઆર પણ દાખલ કરી છે.
રાંચીમા કોરોના વિનાશક હવન કાર્યક્રમ
ઝારખંડના રાંચમાં પણ કેટલાક લોકોએ કોરોના વિનાશક હવનનુ પણ આયોજન કર્યું. આ દરમિયાન લગભગ ત્રણ કલાક પૂજા અર્ચના કરવામાં આવી.
યજ્ઞ હવનથી સંક્રમણ ફેલાવનાર વાયરસનો નાશ થાય છે- એકલ ફાઉન્ડેશન
એકલ અભિયાનના પ્રમોદસિંહે જણાવ્યું કે યજ્ઞ હવનથી સંક્રમણ ફેલાવનાર વાયરસનો નાશ થાય છે. મંદિરના પૂજારી મોહિત મુખરજીએ જણાવ્યું કે ગીતાના 16 મા અધ્યાયના 1056 માં શ્લોકમાં યજ્ઞ હવન વિધાનનો ઉલ્લેખ કરાયો છે. આનાથી ફક્ત ભારતનું જ નહીં પ રંતુ આખા વિશ્વનું કલ્યાણ થશે.