બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / Politics / અન્ય જિલ્લા / Congress Kadir Pirzada Controversy statement on Naresh Patel Dinesh Bambhaniya reaction

ગાંધીનગર / 'માફી નહીં માગે તો સમગ્ર ગુજરાતમાં કોંગ્રેસનો વિરોધ કરીશું', નરેશ પટેલ અંગે કોંગ્રેસ કાર્યકારીએ આપેલા નિવેદન બાદ વિવાદ

Published By: Hiren

Last Updated: 07:39 PM, 22 July 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

નરેશ પટેલ મુદ્દે કોંગ્રેસ કાર્યકારી અધ્યક્ષ કદિર પીરજાદાએ આપેલા નિવેદન બાદ વિવાદ સર્જાયો છે. PAAS નેતા દિનેશ બાંભણિયાએ કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરને આ મામલે પત્ર લખ્યો છે.

  • નરેશ પટેલ મુદ્દે કોંગ્રેસ કાર્યકારી અધ્યક્ષના નિવેદનથી વિવાદ
  • કોંગ્રેસ કાર્યકારી અધ્યક્ષ કદિર પીરજાદાએ આપ્યું હતું નિવેદન
  • PAAS નેતા દિનેશ બાંભણિયાએ કોંગ્રેસ પ્રમુખને લખ્યો પત્ર

કોંગ્રેસ કાર્યકારી પ્રમુખ કદિર પીરજાદાએ 2 દિવસ અગાઉ એક કાર્યક્રમમાં કહ્યું હતું કે, 11 ટકા માટે હાર્દિક-નરેશ પટેલ પાછળ કોંગ્રેસ પડી અને લઘુમતિને ભૂલી જાય છે. નરેશ પટેલ કોંગ્રેસમાં જોડાવા સામેથી આવ્યા હતા તેવું નિવેદન આપ્યું હતું. જેને લઇને વિવાદ વકર્યો છે. PAAS નેતા દિનેશ બાંભણિયા કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરને પત્ર લખીને કદિર પીરજાદા માંફી માગે તેવી માગ કરી છે. બાંભણિયાએ કહ્યું કે જો પીરજાદા માફી નહીં માગે તો કોંગ્રેસનો વિરોધ કરીશું.

પીરજાદા માફી નહીં માગે તો કોંગ્રેસનો વિરોધ કરીશુંઃ દિનેશ બાંભણિયા
ગઇકાલે પીરજાદા કદિર ભાઇએ નરેશ પટેલને લઇને જે નિવેદન કર્યું છે તેને લઇને પાટીદાર સમાજમાં ખુબ જ દુઃખ અને આક્રોષની લાગણી ઉભી થઇ છે. ત્યારે, કોંગ્રેસ પ્રમુખને વિનંતી કરું છું કે, જવાબદાર હોવાના નાતે કોઇપણ સમાજ વિશે આવી ટિપ્પણી કરવી યોગ્ય નથી. તો આજને આજ માફી માંગવામાં આવે અને કોંગ્રેસ પક્ષ પોતાનો ખુલાસો કરે, વિનંતીની સાથે ચેતવણી પણ આપીએ છીએ. જો ટુંક સમયમાં માફી નહીં માગવામાં આવે તો સમગ્ર ગુજરાતમાં કોંગ્રેસ હોદ્દેદારોનો વિરોધ કરીશું.

શું બોલ્યા હતા કદિર પીરજાદા ?
તમે 11 ટકા માટે તમે હાર્દિક અને નરેશ પટેલની પાછળ પાછળ ભાગતા હતા. તમે એ ભૂલી ગયા છો કે આ લોકો(લઘુમતી) કોંગ્રેસની સરકાર બનાવતા હતા. અમે જગદીશ ઠાકોરને પહેલાથી કહેતા હતા કે, અમારા છે તેની તાકાતથી 120 સુધી પહોંચવાની કોશિશ કરો અને મને જોડો. અમને ભૂલી જશો તો શું થશે, અમને પ્રતિનિધિત્વ નહીં આપો તો શું થશે. ખુદ હી કો કર બુલંદ ઇતના ,કી હર તકદીર સે પહેલે ખુદા બંદે સે ખુદ પૂછે ,બતા તેરી રજા કયા હે ? ફરીયાદ કરવાનું છોડી દો.


 

સંકળાયેલા મુદ્દાઓ

Dinesh Bambhaniya Kadir Pirzada Naresh Patel naresh patel

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ