બિહારમાં ભાજપ સાથે છેડો ફાડી સમાજવાદી પાર્ટી સાથે ગઠબંધન કરી સરકાર બનાવનાર બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમારે વિધાનસભાની તૈયારીઓ શરુ કરી દીધી છે.
નીતીશ કુમારે શરુ કરી ચૂંટણીની તૈયારીઓ
પ્રધાનમંત્રીને બિહારને વિશેષ દરજ્જો આપવા જણાવ્યું હતું, પણ ન આપ્યોઃ નીતીશ કુમાર
કેન્દ્રમાં સત્તા બદલાશે તો બિહારને વિશેષ દરજ્જો મળશેઃ નીતીશ કુમાર
મુખ્યમંત્રી નીતીશ કુમારે એક કાર્યક્રમમાં કેન્દ્ર સરકાર પર પ્રહાર કરતા કહ્યું હતું કે, બિહારને વિશેષ દરજ્જો આપવમાં આવ્યો હોત તો રાજ્યની વધુ વિકાસ થયો હોત. સાથે સાથે વધુમાં તેમણે જણાવ્યું કે રાજ્યના વિકાસ માટે હંમેશા તેઓ પ્રયત્નશીલ રહેશે.
કેન્દ્રમાં સત્તા બદલાશે તો રાજ્યોના વિશેષ દરજ્જો મળશે
બિહારની મુખ્યમંત્રી અને જેડીયુના વરીષ્ઠ નેતા નીતીશ કુમારે આજે કહ્યું કે કેન્દ્રમાં સત્તા બદલાશે તો બિહાર સહિત બધા જ રાજ્યોને વિશેષ દરજ્જો આપવામાં આવશે. તેમજ રાજ્યોના વિકાસ માટે હંમેશા પ્રયત્ન કરશે. ગ્રામીણ સોલાર સ્ટ્રીટ લાઈટ યોજનાના શુભારંભ કાર્યક્રમમાં નીતીશ કુમારે આ નિવેદન આપ્યું છે.
વડાપ્રધાનને બિહારને વિશેષ દરજ્જો આપવા જણાવ્યું હતું:નીતીશ કુમાર
પત્રકારો દ્વારા નીતીશ કુમારને પુછ્યું કે કેન્દ્રમાં ત્રીજો મોરચો અથવા અલગ પક્ષ બનાવવા માટે વિપક્ષી દળ પ્રયત્ન કરી રહી છે. ત્યારે નીતીશ કુમારે જવાબ આપતા કહ્યું કે, કેન્દ્રમાં જેવી સરકાર બનશે તેવું તરત જ તમામ અન્ય રાજ્યોને વિશેષ દરજ્જો અપાશે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી જ્યારે પટણા આવ્યા હતા ત્યારે બિહારને વિશેષ દરજ્જો આપવાની માંગ કરી હતી અને રાજ્યના વિકાસમાં હંમેશા પ્રયત્નશીત રહીશ.