ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / children will be admitted to class 1 only if they complete 6 years

તમારા કામનું / 2023થી ગુજરાતમાં સ્કૂલ એડમિશન માટે લાગુ થશે નવો નિયમ, જાણો કેટલી ઉંમર હોવી જરૂરી?

Published By: Malay

Last Updated: 12:38 PM, 20 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજ્યની પ્રાથમિક સ્કૂલોમાં નવા શૈક્ષણિક વર્ષથી 6 વર્ષ પૂર્ણ કરનારા બાળકોને જ ધોરણ-1માં પ્રવેશ ફાળવવામાં આવશે. ભૂતકાળમાં રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલો પરિપત્ર નવા શૈક્ષણિક વર્ષ 2023-24માં લાગુ થશે.

ADVERTISEMENT

  • 2023થી બાળકોના 6 વર્ષ પૂર્ણ હશે તો જ ધોરણ 1માં મળશે પ્રવેશ
  • ધોરણ 1માં પ્રવેશ લેવા માટે બાળકોના 6 વર્ષ પૂર્ણ હોવા જરૂરી
  • ભૂતકાળમાં રાજ્ય સરકારે જાહેર કરેલો પરિપત્ર 2023-24માં લાગુ થશે

આગામી શૈક્ષણિક વર્ષથી ધોરણ 1માં તેવા જ વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવશે જેમની ઉંમર 1 જૂન 2023ના રોજ ઓછામાં ઓછી છ વર્ષની હશે. જો તેમા એક વર્ષ ખૂટતું હશે તો વાલીઓએ તેમના બાળકોને પહેલા ધોરણમાં બેસાડવા માટે એક વર્ષ સુધી રાહ જોવી પડશે. એટલે કે 2023થી બાળકોના 6 વર્ષ પૂર્ણ હશે તો જ ધોરણ 1માં પ્રવેશ મળશે.

શિક્ષણ વિભાગનો પરિપત્ર
23 ડિસેમ્બર, 2020ના રોજ રાજ્યના પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરી દ્વારા એક પરિપત્ર બહાર પાડી રાજ્યની પ્રાથમિક સ્કૂલોમાં ધોરણ-1માં પ્રવેશની વયવર્મયાદા 5ના બદલે 6 વર્ષથી કરવાનો નિર્ણય લેવાયો હોવાની જાહેરાત કરાઈ હતી. જોકે, આ પરિપત્રનો અમલ કરવામાં આવે તો KGમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓનું એક વર્ષ બગડે એવી પરિસ્થિતિ સર્જાય તેમ હોવાથી આનો અમલ 2023-24ના શૈક્ષણિક વર્ષથી કરવાની જાહેરાત કરવામાં આવી હતી.  સરકારે જણાવ્યું હતું કે, નર્સરી અને જુનિયર-સીનિયર કે.જીમાં ભણતા બાળકોને મુશ્કેલી ન થાય તે માટે સરકારના નવા નિયમનો અમલ 2023-24થી કરવામાં આવશે.

6 વર્ષ પૂરા કરનારા બાળકને જ ધોરણ 1માં પ્રવેશ આપવામાં આવશેઃ ભૂપેન્દ્રસિંહ ચુડાસમા
પૂર્વ શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકારે બાળક 6 વર્ષ પુરા કરે પછી પ્રવેશ આપવાનો નિયમ બનાવ્યો છે, રાજ્યમાં પ્રાથમિક શાળામાં ધો. 1માં પ્રવેશ મેળવવા માટે જૂન-2023થી 6 વર્ષ પુરા કરનાર બાળકને જ પ્રવેશ અપાશે. 

2023થી 6 વર્ષ પુર્ણ હશે તેમને જ મળશે ધોરણ 1માં પ્રવેશ
6 વર્ષની ઉંમર તો શિક્ષણ વિભાગે નક્કી કરી લીધી પરંતુ તેમા હજી છૂટછાટની જાહેરાત કરી નથી. જે બાળકોના છ વર્ષમાં એક-બે દિવસ ખૂટતાં હોય તેમને પણ પ્રવેશ અપાશે નહીં.  2023-24થી એટલે કે નવા શૈક્ષણિક વર્ષથી  6 વર્ષ પૂર્ણ કરનારા વિદ્યાર્થીઓને જ ધોરણ-1માં પ્રવેશ મળશે.

સંકળાયેલા મુદ્દાઓ

Children complete 6 years school admission ગુજરાત નિયમમાં ફેરફાર શાળામાં એડમિશન school admission

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ