બ્રેકિંગ ન્યુઝ
VTV / Tech & Auto / ટેક અને ઓટો / તો તમારો પણ જીવ બચી જશે, બસ કાર ચલાવતી વખતે આટલું ખાસ ધ્યાન રાખજો
Last Updated: 11:17 AM, 25 May 2024
અકસ્માત વખતે એરબેગ ખૂબ જ જરૂરી છે. એવામાં જાણો એરબેગ શું છે અને કેવી રીતે કામ કરે છે અને બધી કારોમાં તેનું હોવું કેમ જરૂરી છે?
ADVERTISEMENT
ભારતની કાર્સમાં 2019થી એરબેગ્સ ફરજીયાત
ADVERTISEMENT
જણાવી દઈએ કે દુનિયામાં સૌથી પહેલા અરબેગને 1950ના દશકમાં શોધવામાં આવી હતી. આ એક સુરક્ષા ઉપકરણ છે. દુનિયાભરમાં એરબેગને સૌથી સારૂ સેફ્ટી ડિવાઈઝ માનવામાં આવે છે. એરબેગ સામાન્ય રીતે પોલિસ્ટરની જેમ જ મજબૂત ટેક્સટાઈલ કે કાપડથી બનેલા એક ફૂગ્ગા જેવું કવર હોય છે. કંપનીઓ આ કારોને સ્ટેયરિંગ વ્હીલ, દરવાજા અને ડેશબોર્ડ પર લગાવે છે. સરકાર દ્વારા ભારતીય કારોમાં વર્ષ 2019થી ફરજીયાત કરી દેવામાં આવી છે.
એરબેગથી બચી શકતા હતા 13 હજાર જીવ
માર્ચ 2022માં કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરીએ રાજસ્થાનમાં કહ્યું હતું કે જો કારોમાં ફંક્શનલ એરબેગનો ઉપયોગ કરવામાં આવ્યો હોય તો વર્ષ 2020માં દેશભરમાં 13,022 લોકોના જીવ બચી શક્યા હોત.
કેવી રીતે કામ કરે છે એરબેગ?
જ્યારે પણ એક્સીડેન્ટની સ્થિતિ નિર્મિત થાય તો એરબેગ ખુલી જાય છે અને ઈજા કે મોતની આશંકાને ઓછી કરે છે. એરબેગ, કારના સેન્સરથી કનેક્ટ હોય છે. આ સેન્સર કારની ટક્કર થવા પર એક્ટિવેટ થઈ જાય છે અને એરબેગ સુધી મેસેજ મોકલે છે જેના બાદ એરબેગ ઝટકાથી ખુલી જાય છે. આ પ્રક્રિયા ખૂબ જ ઝડપથી થઈ જાય છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.