બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / હવેથી સરકારની પૂર્વ મંજૂરી વિના વિદેશ પ્રવાસ કરવો ગંભીર ગેરવર્તણૂંક ગણાશે

ગુજરાત / હવેથી સરકારની પૂર્વ મંજૂરી વિના વિદેશ પ્રવાસ કરવો ગંભીર ગેરવર્તણૂંક ગણાશે

Published By: Nidhi Panchal

Last Updated: 10:19 PM, 11 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સરકારી કર્મચારીઓના અંગત વિદેશ પ્રવાસને લઈને રાજ્ય સરકારે નવી માર્ગદર્શિકા જાહેર કરી છે. હવે વિદેશ જવા માટે ઓનલાઈન અરજી, પૂર્વ મંજૂરી અને નિર્ધારિત નિયમોનું પાલન ફરજિયાત બનાવવામાં આવ્યું છે.

રાજ્ય સરકારે સરકારી કર્મચારીઓના અંગત વિદેશ પ્રવાસ માટે નવી માર્ગદર્શિકા જાહેર કરી છે. સામાન્ય વહીવટ વિભાગ (GAD) દ્વારા 11 ઓગસ્ટે જાહેર કરાયેલી આ નવી સૂચનાઓ મુજબ હવે સરકારી કર્મચારીઓએ વિદેશ પ્રવાસ પહેલાં અનેક નિયમોનું પાલન કરવું ફરજિયાત રહેશે. સરકારનો હેતુ વિદેશ પ્રવાસની પ્રક્રિયાને વધુ પારદર્શક અને વ્યવસ્થિત બનાવવાનો છે.

નવી માર્ગદર્શિકા મુજબ, વિદેશ પ્રવાસના ઓછામાં ઓછા 45 દિવસ પહેલાં કર્મયોગી પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવી ફરજિયાત રહેશે. કર્મચારીઓએ સમયસર અરજી કરીને સરકારની પૂર્વ મંજૂરી મેળવવી પડશે. માત્ર રજા મંજૂર થઈ હોવી પૂરતી ગણાશે નહીં, પરંતુ વિદેશ પ્રવાસ માટે અલગથી સરકારની પૂર્વ મંજૂરી લેવી પણ ફરજિયાત રહેશે.

airport

સરકારે સ્પષ્ટ કર્યું છે કે સરકારની પૂર્વ મંજૂરી વિના વિદેશ પ્રવાસ કરવો ગંભીર ગેરવર્તણૂક ગણાશે. જો કોઈ સરકારી કર્મચારી અથવા અધિકારી પૂર્વ મંજૂરી લીધા વગર વિદેશ પ્રવાસ કરશે તો તેની સામે શિસ્ત વિષયક કાર્યવાહી કરવામાં આવશે. તેથી તમામ કર્મચારીઓને નિયમોનું કડક પાલન કરવાની સૂચના આપવામાં આવી છે.

અરજી કચેરીના વડા અને ખાતાના વડા મારફતે મોકલવાની રહેશે

નવી વ્યવસ્થા મુજબ વર્ગ-1 અને વર્ગ-2ના અધિકારીઓએ પોતાની અરજી કચેરીના વડા અને ખાતાના વડા મારફતે મોકલવાની રહેશે. જ્યારે વર્ગ-3ના કર્મચારીઓએ સંબંધિત કચેરી મારફતે ખાતાના વડાને અરજી કરવાની રહેશે. આ પ્રક્રિયા દ્વારા અરજીની યોગ્ય ચકાસણી અને મંજૂરી આપવામાં આવશે.

અરજી કરતી વખતે પ્રવાસનો હેતુ ફરજિયાત દર્શાવવો

વિદેશ પ્રવાસ માટે અરજી કરતી વખતે પ્રવાસનો હેતુ ફરજિયાત દર્શાવવો પડશે. કર્મચારીઓએ અરજીમાં સ્પષ્ટ રીતે જણાવવું પડશે કે તેઓ પર્યટન, તીર્થયાત્રા, પારિવારિક, શૈક્ષણિક અથવા સામાજિક હેતુ માટે વિદેશ જઈ રહ્યા છે. સરકારે દરેક અરજીમાં પ્રવાસનું કારણ સ્પષ્ટ લખવાનું ફરજિયાત બનાવ્યું છે.

ખાતાકીય તપાસ અથવા ફોજદારી કેસ ચાલી રહ્યો

આ ઉપરાંત, જો કોઈ કર્મચારી સામે ખાતાકીય તપાસ અથવા ફોજદારી કેસ ચાલી રહ્યો હોય, તો તેની સંપૂર્ણ વિગતો પણ અરજીમાં આપવી પડશે. સરકાર દ્વારા આ માહિતીના આધારે અરજી અંગે યોગ્ય નિર્ણય લેવામાં આવશે.

માર્ગદર્શિકામાં વધુ એક મહત્વપૂર્ણ નિયમ ઉમેરવામાં આવ્યો

નવી માર્ગદર્શિકામાં વધુ એક મહત્વપૂર્ણ નિયમ ઉમેરવામાં આવ્યો છે. તે મુજબ વિદેશ પ્રવાસ દરમિયાન કોઈપણ સરકારી કર્મચારી ખાનગી ધંધો અથવા વ્યવસાય કરી શકશે નહીં. વિદેશ પ્રવાસ માત્ર અરજીમાં દર્શાવેલા હેતુ માટે જ કરવાનો રહેશે અને સરકારી સેવાના નિયમોનું પાલન કરવું ફરજિયાત રહેશે.

આ પણ વાંચો : PNB Oneના નામે APK ફાઈલ મોકલી ઠગબાજોએ 31,000 મોબાઈલ કર્યા હેક

સામાન્ય વહીવટ વિભાગ દ્વારા 11 ઓગસ્ટે જાહેર કરાયેલી આ નવી માર્ગદર્શિકા અને સૂચનાઓ રાજ્યના તમામ સરકારી કર્મચારીઓ માટે લાગુ પડશે. હવે વિદેશ પ્રવાસ પહેલાં કર્મયોગી પોર્ટલ પર સમયસર ઓનલાઈન અરજી કરવી, સરકારની પૂર્વ મંજૂરી મેળવવી, પ્રવાસનો હેતુ સ્પષ્ટ દર્શાવવો અને તમામ નિયમોનું પાલન કરવું ફરજિયાત રહેશે. નિયમોના ઉલ્લંઘનના કિસ્સામાં સરકાર દ્વારા શિસ્ત વિષયક કાર્યવાહી કરવામાં આવશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Karmayogi Portal Foreign Travel Rules Government Employees

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ