ગોંડલ બાલાશ્રમની અનાથ દીકરીઓના દર વર્ષે દાતાઓના સહયોગથી લગ્ન કરાવવામાં આવે છે. ત્યારે આ વર્ષે પણ દીકરીઓના શાહી લગ્ન કરાવવામાં આવ્યા હતા. જેમાં સ્થાનિક સાંસદ, મંત્રી, ધારાસભ્ય સહિત આગેવાનોએ હાજરી આપી હતી અને દિકરીઓને ઠાઠમાઠ સાથે વિદાઇ આપી હતી. દિકરીઓના આ ભવ્ય લગ્ન સમારોહમાં ખાસ વ્યવ્સથાઓ પણ ગોઠવવામાં આવી હતી.
ગોંડલમાં યોજાયા અનોખા લગ્ન
બિલ્ડરે કરિયાવરમાં આપ્યા 100 વારના પ્લોટ
ગામમાં યોજાયો ભવ્ય સમારોહ
ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં યોજાયેલા શાહી લગ્નમાં 7 અનાથ દીકરીઓને નિલેશભાઈ નામના બિલ્ડરે 100-100 વારના પ્લોટ કન્યાદાનમાં આપ્યા હતા. તો ગોંડલના રાજવી જ્યોતેન્દ્રસિંહજીએ દરેક દીકરીને સોનાની વીંટી આપીને આશિર્વાદ આપ્યા હતા.
ગોંડલના રાજવી ભગવતસિંહજીએ શરૂ કરેલ બાલાશ્રમ
આપને જણાવી દઇએ કે, ગોંડલના રાજવી ભગવતસિંહજી પોતાના સમયકાળ કરતા હંમેશા એક સદી આગળ વિચારતા હતા. એટલે જ ગોંડલ સ્ટેટમાં મહિલાઓને ફરજિયાત શિક્ષણ પણ શરૂ કરાવ્યું હતું. હંમેશા પ્રજા હિત માટે કાર્ય કરનાર રાજવી ભગવતસિંજીએ આ બાલાશ્રમની શરૂઆત 1903માં કરી હતી.
મોટા માથાઓ રહ્યા હાજર
આ સમારોહમાં કૅબિનેટ મંત્રી જયેશ રાદડિયા, પોરબંદરના સાંસદ ધડૂક,રાજકોટના સાંસદ કુંડારિયા, ગોંડલના ધારાસભ્ય ગીતાબા જાડેજા, પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા સહિતના રાજકીય આગેવાનો તથા નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.