બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / VTV વિશેષ / BHAVAI BHUNGHAD MAKER DINESH LAL KANSARI IS THE ONLY ARTIST IN GUJARAT WHO IS MAKING BHUNGHAD
ADVERTISEMENT
ગુજરાતનું પરંપરાગત લોકનાટ્ય સ્વરૂપ 'ભવાઈ' નો જન્મ 14મી સદીમાં થયો હતો. પ્રાચીનકાળમાં ભવાઈ ભજવનારાઓ સમાજમાં જાગૃતતા ફેલાવવા માટે ભૂંગળ-તબલાનાં તાલે ભવાઈ ભજવતાં હતાં. ગુજરાતનાં ઊંઝામાં અસાઈત ઠાકર કે જેઓ ભવાઈનાં પિતામહ માનવામાં આવે છે તેમણે 360 વેશની ભવાઈઓ લખી. માં અંબાની ભક્તિને કેન્દ્રમાં ભૂંગળનાં નાદે ભવાઈ ભજવાતી હતી. પણ હાલનાં સમયમાં આ ભૂંગળ વાદ્ય બનાવનાર ગુજરાતભરમાં માત્ર એક જ વ્યક્તિ છે- દિનેશકુમાર કંસારા.
ADVERTISEMENT
ADVERTISEMENT
વિસનગરમાં વસતાં દિનેશકુમાર કંસારા 70 વર્ષની ઉંમરે પણ ભવાઈને જીવંત રાખવા માટે ભૂંગળ બનાવે છે. પોતાના નાના રણછોડલાલ કંસારા પાસેથી 1978ની સાલમાં દિનેશભાઈએ ભૂંગળ બનાવવાની તાલીમ લીધી હતી અને આજ દિવસ સુધી તેઓ તમામ પ્રકારની ભૂંગળ એકલા હાથે બનાવીને વિશ્વભરમાં વેચે છે. દિનેશકુમાર કંસારા કહે છે કે પ્રાચીનકાળમાં આદ્યાશક્તિની આરાધના કરવા, માતાજીની પ્રાણ પ્રતિષ્ઠા કે પછી હવન કે ભવાઈ ભજવવા માટે ભૂંગળનો ઉપયોગ થતો હતો. ભવાઈ કલાકારો ભૂંગળ ફૂંકીને આખું ગામ ભેગું કરતાં અને ભવાઈ ભજવતા.
ADVERTISEMENT
એક મજાની વાત કરતાં દિનેશભાઈ કહ્યું કે ભૂંગળ હંમેશા જોડીમાં જ બને છે એટલે કે તેમાં પણ નર અને માદા એમ પ્રકાર હોય છે. બંને ભૂંગળની લંબાઈમાં 1 ઈંચનો તફાવત બની જાય છે. જેની લંબાઈ વધુ બને છે તે નર ભૂંગળ અને જેની લંબાઈ ઓછી હોય છે તે માદા ભૂંગળ માનવામાં આવે છે. નર ભૂંગળનો અવાજ થોડો જાડો હોય છે જ્યારે માદા ભૂંગળનો અવાજ તીણો રહે છે. ધાર્મિક માન્યતા અનુસાર ભૂંગળને માતાજીની બાહુ એટલે કે 2 હાથ પણ માનવામાં આવે છે.
ADVERTISEMENT
.jpg)
ADVERTISEMENT
ભૂંગળની એક જોડનો ભાવ 3500 રુપિયા છે. આ ભૂંગળ પણ 3 પ્રકારની હોય છે- તાંબા-પિત્તળની ભૂંગળ, જર્મન ભૂંગળ અને ચાંદીની ભૂંગળ. દિનેશભાઈએ જણાવ્યું કે સામાન્ય રીતે આપણાં ગુજરાતમાં તાંબા-પિત્તળની ભૂંગળનો ઉપયોગ વધારે કરવામાં આવે છે. આ ભૂંગળનો આગળનો ભાગ તાંબાનો જ્યારે પાછળનો ભાગ પિત્તળનો હોય છે. કેટલાક લોકો માતાજીની માનતા માને ત્યારે ચાંદીની ભૂંગળ પણ બનાવડાવતાં હોય છે. દિનેશભાઈ ત્રણેય પ્રકારની ભૂંગળ બનાવી શકે છે. તેઓ માત્ર 8 કલાકમાં તાંબા-પિત્તળની નર-માદા ભૂંગળ તૈયાર કરી શકે છે જ્યારે ચાંદીની ભૂંગળ તૈયાર કરતાં તેમને 2-3 દિવસનો સમય લાગી જાય છે.
વિસરાતી જતી ભૂંગળ બનાવવાની કળાને જીવંત રાખવા માટે અને આ કળા આજનાં યુવાનો પણ શીખે એ માટે દિનેશભાઈ કંસારા અવારનવાર ભૂંગળ બનાવવાની વર્કશોપ અને કાર્યક્રમો ગોઠવતાં હોય છે. તેમણે અત્યાર સુધી ગુજરાતમાં 15 જેટલા ભૂંગળ બનાવવાનાં પ્રોગ્રામ કર્યાં છે. તેવામાં ગુજરાતી તરીકે આપણે પણ આપણી આ લોકસંસ્કૃતિને જાળવવા માટે શક્ય હોય તેટલો વધુને વધુ પ્રયાસ કરવો જોઈએ.

ભવાઈ વેશના ભીષ્મપિતામહ અસાઈત ઠાકર યજુર્વેદી કર્મકાંડી હતા. એક હિન્દવાણીના શીલની રક્ષા કાજે તેમણે વટલાવાનું પસંદ કર્યું આને કારણે સિદ્ધપુરની બ્રાહ્મણ જ્ઞાતિએ તેમનો બહિષ્કાર કર્યો, જ્ઞાતિ બહાર મૂક્યા અને રોટી-બેટી વ્યવહાર પણ બંધ કર્યો. એટલે અસાઈત સિદ્ધપુર છોડી ઊંઝા આવ્યા અને કદીય સિદ્ધપુરમાં પગ ન મૂકવાની પ્રતિજ્ઞા લીધી. આથી તે ત્રાગાળા કહેવાયા. દીકરા પણ સાથે હતા. તેમનાં ત્રણ ઘર તેથી ત્રણ ઘરા, તરગાળા થયું હોવાનું પણ કહે છે. ઊંઝાએ તેમને હૈયાના હેતથી આવકાર્યા. ઊંઝાના પટેલોએ પોતાની દીકરીના શીલનું રક્ષણ કરનાર અસાઈતને મકાન આપ્યું, જમીન આપી, આજીવિકાની વ્યવસ્થા કરી આપી. આ અસાઈતે સમાજની દુર્દશા જોઈ, તેની આંતરડી કકળી ઊઠી અને વિલાપમાંથી ભવાઈનો જન્મ થયો. તેમણે દરરોજ એક નવો વેશ ભજવી શકાય તેવા 360-70 ભવાઈ વેશ લખ્યા અને ભજવ્યા. આજે તેમના વંશજો નાયક અને ભોજક કહેવાય છે.
શું તમે ભવાઈનું વાદ્ય ભૂંગળ વિશે જાણો છો?
— Atulya Varso® (@AtulyaVarso001) February 7, 2024
ગુજરાતની લોક સંસ્કૃતિની કલા ભવાઈનું મુખ્ય વાદ્ય ભૂંગળ છે, અને હાલમાં તે બનાવનાર માત્ર એક જ વ્યક્તિ રહ્યા છે, ઉત્તર ગુજરાતના વિસનગરમાં રહેતા દિનેશભાઈ કંસારા આ કામ કરે છે, અને તેમણે આ ક્લાને જીવંત રાખી છે. #Bhavaai #Art pic.twitter.com/doJZ2wypvE
(1) ગામમાં નાટક મંડળી રમતી હોય ત્યારે
(2) કોઈના લગ્ન પ્રસંગમાં
(3) માતાજીના મંદિરે
(4) ચાંચર ચોકમાં ભવાઈ ભજવાતી હોય ત્યારે
(5) રાસ-ગરબા રમતી વખતે
(6) રાજવી એટલે રાજદરબારમાં સન્માન આપવા
(7) દિકરાના હાલરડામાં
(8) ગાવણું કરતી વખતે
(9) હવન કર્યો સિદ્ધ કરવા સમયે
(10) દરેક પ્રકારના શુભ કાર્યોમાં
પતંગ ( જે સ્થિરતા સાથેનો અવાજ )
ફરેરો ( તેજ એટલે કે ધોધ સાથે અવાજ)
માન (તાલ-રાગ સાથેનો અવાજ)
છેક ( ચારેય બાજુ ફરતો અવાજ)
સ્વર ( તાલ સાથેનો મિલાપનો અવાજ)
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.