મર્ચેન્ટ સેવા અને યૂપીઆઇ પેમેન્ટ એપ ભારતપે એ વેપારીઓને ટૂંકા સમયગાળા માટે એક લાખ રૂપિયા સુધીની લોન ઉપલબ્ધ કરાવવાની જાહેરાત કરી છે. હાલ દેશના સાત લાખ ઑફલાઇન વેપારી ઉપયોગ કરે છે અને એના માધ્યમથી ચુકવણી સ્વિકાર કરી રહ્યા છે.
10 હજારથી 1 લાખ સુધીની લોન લઇ શકે છે વેપારી
કંપનીએ બુધવારે જારી નિવેદનમાં જાણકારી આપતા કહ્યું કે એ એવા વેપારીઓને ઉધાર આપવા માટે પોતાના સ્વયંના ઉધાર લાયસન્સ માટે આવેદન કરવાની પણ યોજના બની રહી છે, જે છેલ્લા 3 મહિનાથી નિયમિત તથા સુચારૂ રૂપથી ભારતપે ક્યૂઆર કોડના માધ્યથી ચુકવણી સ્વિકાર કરી રહ્યા છે.
એને કહ્યું કે વેપારીઓને 10 હજાર રૂપિયાથી લઇને એક લાખ રૂપિયા સુધીની ટૂંકા સમયગાળાની લોન પૂરી પાડવા માટે અપોલો ફિનવેસ્ટ સાથે ભાગીદારી કરવામાં આવી છે અને નવા ભાગીદારોને જોડવાનો પ્રયાસ જારી છે. આ લોન પર 1.67 ટકા વ્યાજ લાગશે. ભારતપે નો હાલ દેશના સાત લાખ ઑફલાઇન વેપારી ઉપયોગ કરે છે અને એના માધ્યમથી ચુકવણી સ્વિકાર કરી રહ્યા છે.