સ્વદેશી વેક્સિન કોવેક્સિનમાં ગાયના વાછરડાનું લોહી મિક્સ થયેલું છે તેવી સોશિયલ મીડિયા પર ફેલાયેલી અફવાને સરકારે પાયાવિહોણી અને ખોટી ગણાવી છે.
સોશિયલ મીડિયા પર ફેલાઈ અફવા
Covaxin માં ગાયના વાછરડાનું લોહી ભેળવેલું હોય છે
સરકારને ખુલાસો આપવા આગળ આવવું પડ્યું
સ્વાસ્થ મંત્રાલયે કહ્યું કે દાવો તથ્યવિહિન તથા ગેરમાર્ગે દોરનારો
મંત્રાલયે કબૂલ્યું, વીરો સેલ્સ તૈયાર કરવામાં વાછરડાના સીરમનો ઉપયોગ થાય છે ખરો
છેલ્લા કેટલાક સમયથી સોશિયલ મીડિયા પર એવી અફવા ફેલાઈ હતી કે કોવેક્સિનમાં ગાયના વાછડાનું લોહી મિક્સ કરેલું છે. આ અફવા ફેલાતા સરકારને ખુલાસો આપવા આગળ આવવું પડ્યું છે. આ દાવાને ફગાવી દેતા કેન્દ્ર સરકારે કહ્યું આ કેસમા કોઈ તથ્ય નથી અને તેને ખોટી રીતે રજૂ કરવામાં આવ્યો છે.
વાછડાના સીરમનો ઉપયોગ ફક્ત વેરો સેલ્સને તૈયાર કરવામાં થાય છે
સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જારી નિવેદનમાં કહેવાયું કે નવજાત વાછડાના સીરમનો ઉપયોગ ફક્ત વેરો સેલ્સને તૈયાર કરવામાં તથા વિકસીત કરવા માટે કરવામાં આવે છે.
દુનિયાભરમાં વીરો સેલ્સની ગ્રોથ માટે અલગ અલગ પ્રકારના ગૌવંશ તથા બીજા પ્રાણીઓના સીરમનો ઉપયોગ કરાય છે. આ ગ્લોબલ સ્ટાન્ડર્ડ પ્રક્રિયા છે. પરંતુ તેનો ઉપયોગ શરુઆતના તબક્કામાં જ થાય છે. વેક્સિનના ઉત્પાદનમાં છેલ્લા તબક્કામાં તેનો કોઈ ઉપયોગ થતો નથી. આ રીતે તેને વેક્સિનનો હિસ્સો ન ગણી શકાય.
પોલિયો, રેબિસ તથા ફ્લુની દવામાં પણ વાછડાના સીરમનો ઉપયોગ થાય છે
મંત્રાલયે કહ્યું કે દાયકાઓથી વાછડાના સીરમનો ઉપયોગ પોલિયો, રેબિસ તથા ફ્લુની દવામાં કરવામાં આવતો હોય છે. મંત્રાલયે કહ્યું કે વીરો સેલ્સને ડેવલપ કર્યા બાદ ઘણી વાર પાણી અને કેમિકલ્સથી ધોવામાં આવે છે. આ પ્રોસેસને બફર પણ કહેવાય છે. ત્યાર બાદ આ વેરો સેલ્સને વાયરલ ગ્રોથ માટે કોરોના વાયરસ સાથે સંક્રમિત કરવામાં આવે છે.