બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / Cricket / between corona risk the president of the bcci said that ipl matches are not cancel
ADVERTISEMENT
BCCIના પ્રમુખ સૌરવ ગાંગુલીએ શુક્રવારે સ્પષ્ટ કર્યું કે, IPL ટૂર્નામેન્ટની મેચ રમાશે. 29 માર્ચથી શરૂ થનારી આ ટુર્નામેન્ટમાં આરોગ્ય અને કોરોાના વાયરસ ફેલાતા અટકાવવા માટે બોર્ડ દરેક જરૂરી પગલા લેવા તૈયાર છે. તેમને પૂછવામાં આવ્યું કે, બોર્ડ કોરોના વાયરસ સામે કેવી રીતે કાર્યવાહી કરવા તૈયાર છે અને શું IPLનું આયોજન કરવામાં આવશે? બોર્ડ અધ્યક્ષે કહ્યું, "IPLચાલુ છે."
ADVERTISEMENT
આરોગ્ય મંત્રાલય દ્વારા મળેલી સત્તાવાર માહિતી અનુસાર, ભારતમાં કોરોના વાયરસના 31 કેસોની ખાતરી થઈ છે. ઇ.એસ.પી.એન.ના રિપોર્ટમાં BCCIના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું છે કે, બોર્ડ સરકારની માર્ગદર્શિકાના પગલે કોરોના વાયરસના સંબંધમાં દરેક જરૂરી પગલા લેવા તૈયાર છે.

ADVERTISEMENT
આ સંદર્ભમાં તમામ હિસ્સેદારો, ખેલાડીઓ, ફ્રેન્ચાઇઝી, એરલાઇન્સ, ટીમ હોટલ, બ્રોડકાસ્ટિંગ ક્રૂ અને આ લીગ સાથે સંકળાયેલ તમામ લોકોને જરૂરી સાવચેતી રાખવા સરકારના સૂચનોનું પાલન કરવાનું કહેવામાં આવશે.
બોર્ડે એમ પણ કહ્યું છે કે, ખેલાડીઓને ચાહકો સાથે હાથ ન મલાવવાનું કહેવામાં આવશે અને કોઈ પણ જે ડિવાઇસ તેમનું ના હોય તેવી તસવીરો પર ક્લિક ન કરવાનું કહેવામાં આવશે. અત્યાર સુધીમાં, કોરોના વાયરસને કારણે વિશ્વભરમાં 3,300 થી વધુ લોકો મૃત્યુ પામ્યા છે.
ADVERTISEMENT
તેના વધતા જતા જોખમને લીધે ઘણી રમતગમતની ઈવેન્ટ રદ કરવામાં આવી છે. આ વર્ષે જુલાઈ-ઓગસ્ટમાં જાપાનની રાજધાની ટોક્યોમાં યોજાનારી ઓલિમ્પિક ઇવેન્ટ વિશે પણ આ જ સવાલ ઉભા થઈ રહ્યા છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.