બ્રેકિંગ ન્યુઝ
પ્રાથમિક શાળાના શિક્ષકો તરીકે નિયુક્ત B.Ed ડિગ્રી ધારકોએ તેમની નોકરી ગુમાવવી પડશે નહીં. સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે ઓગસ્ટ 2023ના તેના નિર્ણયમાં શિક્ષકોની સંભવિત અરજીઓ અને સેવાઓનો સમાવેશ થશે, જે મામલામાં જાહેરખબરની સૂચનામાં B.Ed નો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આવા તમામ ઉમેદવારોની નોકરી જળવાઈ રહેશે. સુપ્રીમ કોર્ટનો આ આદેશ સમગ્ર દેશ માટે છે.
ADVERTISEMENT
કોર્ટે 11 ઓગસ્ટ, 2023ના તેના નિર્ણયની સ્પષ્ટતા કરતા કહ્યું કે આ નિર્ણય પહેલા કરવામાં આવેલી ભરતી પર કોઈ અસર પડશે નહીં. સુપ્રીમ કોર્ટે 11 ઓગસ્ટ, 2023ના રોજ પોતાના નિર્ણયમાં પ્રાથમિક શિક્ષકના પદ માટે B.Ed ડિગ્રી ધરાવતા યુવાનોને અયોગ્ય જાહેર કર્યા હતા. હવે કોર્ટે સ્પષ્ટ કરી દીધું છે કે જે B.Ed ડિગ્રી ધરાવનારાઓને પ્રાથમિક શિક્ષક તરીકે આ નિર્ણય પહેલા નિયુક્ત કરવામાં આવ્યા છે, તેમનાં પર આ નિર્ણયની કોઈ અસર નહીં થાય અને તેમની નોકરી અકબંધ રહેશે.
સર્વોચ્ચ અદાલતે એમ પણ કહ્યું કે એ ઉમેદવાર જે કોઈપણ અદાલત દ્વારા લાદવામાં આવેલ ગેરલાયકાત વિના નિમણૂંક કરવામાં આવ્યા હતા અને નિયમિત નિમણૂકમાં હતા, જ્યાં જાહેરાતમાં લાયકાત તરીકે બી.એડ.નો ઉલ્લેખ કરવામાં આવેલો છે. આ નિર્ણયને કારણે તેમની સેવાઓને કોઈ અસર થશે નહીં.
ADVERTISEMENT
આ આદેશ જસ્ટિસ અનિરુદ્ધ બોઝ અને જસ્ટિસ સુધાંશુ ધુલિયાની ડિવિઝન બેંચે મધ્યપ્રદેશ રાજ્ય દ્વારા દાખલ કરાયેલી સ્પષ્ટતા અરજીની સુનાવણી દરમિયાન આપ્યો. વરિષ્ઠ એડવોકેટ વિકાસ સિંહ દ્વારા સ્પષ્ટતાની વિનંતી પર, ડિવિઝન બેન્ચે મૌખિક રીતે ટિપ્પણી કરી કે તેનો આદેશ માત્ર મધ્ય પ્રદેશ રાજ્યને જ નહીં પરંતુ સમગ્ર દેશને લાગુ પડશે.
ADVERTISEMENT
ADVERTISEMENT
સુપ્રીમ કોર્ટે ઓગસ્ટ 2023ના આદેશમાં NCTEની 2018ના એ નોટિફિકેશનને રદ્દ કરી દીધું હતું, જેમાં B.Ed ડિગ્રી ધરાવતા યુવાનોને પ્રાથમિક શિક્ષકો માટે લાયક ગણવામાં આવ્યા હતા. કોર્ટે કહ્યું હતું કે B.Ed ડિગ્રી ધરાવતા યુવાનો પ્રાથમિક શિક્ષક બનવા માટે લાયક નથી. સાથે જ કોર્ટે એમ પણ કહ્યું હતું કે પ્રાથમિક શિક્ષકના પદ માટે BTC અને D.El.Ed ઉમેદવારો લાયક છે.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.